કેશોદ એરપોર્ટ પર અગામી 16મી એપ્રિલે કેન્દ્રીય પરિવહન મંત્રી દ્વારા કોમર્શીયલ વિમાની સેવા શરૂ કરવાશે
કેશોદ એરપોર્ટ ખાતે વિમાન સેવા શરૂ થશે
અઠવાડિયામાં 3 દિવસ વિમાન સેવા લાભ મળશે
16 તારીખે કેન્દ્રીય ઉડ્ડિયન મંત્રી સેવા શરૂ કરાવશે
કેન્દ્રીય ઉડ્ડિયન મંત્રી સેવા શરૂ કરાવશે
કેશોદ એરપોર્ટ પર 21 વર્ષ બાદ વિમાની સેવા શરૂ થશે. અને આગામી 16 એપ્રિલે કેન્દ્રિય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સીધિંયા દ્વારા વિમાની સેવાનો પ્રારંભ કરાવવામાં આવશે. આમ કેશોદમાં અઠવાડિયામાં 3 દિવસ વિમાન સેવા લાભ મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર કેશોદ એરપોર્ટ પર વર્ષ-2000માં કોમર્શીયલ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. એ સમયે 13 સીટનું વેઈટીંગ રહેતુ હતું.
નાગરિકોમાં લાંબા સમયથી કોમર્શીયલ રૂટ શરૂ કરવા માંગ ઉઠી હતી.
જો કે, જે તે સમયે દિવ એરપોર્ટ શરૂ થતા ટ્રાફિક ઓછો થયો હતો. અને કેશોદમાં વાણિજ્ય વિમાની સેવા બંધ થતા વેપારીઓ અને દેશ- વિદેશમાં વસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. અને કોમર્શીયલ રૂટ શરૂ કરવા માંગ ઉઠી હતી.
16 તારીખે કેન્દ્રીય પરિવહન મંત્રી સેવા શરૂ કરાવશે
બાદમાં ચેમ્બર ઓફ કોમર્સ, વ્યાપારી વિકાસ મંડળ, સાંસદ, ધારાસભ્યોએ રજૂઆત કરતા કેન્દ્ર સરકારે કેશોદ એરપોર્ટનો ઉડ્ડાન યોજના હેઠળ સમાવેશ કર્યો હતો. બાદમાં સર્વે સહિતની કામગીરી હાથ ધરાય હતી. હવે વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે. 16મી એપ્રિલે કેશોદ- મુંબઈ રૂટ પર વિમાન ઉડ્ડાન ભરશે.