આઈઆઈટી કાનપુરે દુનિયાનું પહેલું એન્ટીમાઈક્રોબિયલ એર પ્યુરીફાયર બનાવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના અને બ્લેક ફંગરને મારવામાં આ એર પ્યોરીફાયર સંપૂર્ણ રીતે સક્ષમ છે. સંસ્થાના ઈનક્યુબેટર એઅર્થે આઈઆઈટી મુંબઈના વૈજ્ઞાનિકોની મદદથી આ તૈયાર કર્યું છે.
દરેક પ્રકારના બેક્ટેરિયાને ખતમ કરવામાં સક્ષમ
હવામાં કોરોના વાયરસ અને બ્લેક ફંગસનો ખતરો વધી રહ્યો છે. માટે આઈઆઈટી કાનપુરના એર પ્યુરીફાયર કોરોના અને બ્લેક ફંગર જેવા દરેક પ્રકારના બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરી દેશે. તે હવામાં હાજર એયરોસોલમાં મળતા બેક્ટેરિયા અને વાયરસને પણ ડીએક્ટિવેટ કરી નાખે છે. તેને આઈઆઈટીની ઈનક્યૂબેટેડ કંપની એઅર્થે સંસ્થાન અને આઈઆઈટી મુંબઈના વૈજ્ઞાનિકોની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે.
દરેક પ્રકારના બેક્ટેરિયાથી હવાને કરે છે શુદ્ધ
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દુનિયાનું પહેલું એન્ટીમાઈક્રોબિયલ એર પ્યોરીફાયર છે. આઈઆઈટીની ઈનક્યૂબેટેડ કંપનીના ફાઉન્ડર રવી કૌશિકે જણાવ્યું કે વધતા કોરોના વાયરસ અને બ્લેક ફંગસના ખતરા વચ્ચે એમ કહીં શકવું મુશ્કેલ છે કે તે હવાથી નથી ફેલાતા. તેના માટે ઘરમાં કે હોસ્પિટલોમાં શુદ્દ હવાનું હોવું ખૂબ જરૂરી છે. એઅર્થ પ્યુરીફાયર સંપૂર્ણ રીતે સુરક્ષીત છે અને તે દરેક પ્રકારના બેક્ટેરિયા અને વાયરસથી હવાને શુદ્ધ કરે છે.
રિયલ ટાઈમ મોનિટરિંગ
તેની ખાસિયત એ છે કે તે રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકે છે મતલબ કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુના માધ્યમથી કોઈ બેક્ટેરિયા અથવા વાયરસ હવામાં ભળે છે તો તેને પાંચ મિનિટની અંદર ડિએક્ટિવેટ કરી દે છે. તેના કારણે સંક્રમણનું જાખમ ઘટે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્યુરીફાયર 600 વર્ગ ફૂટ ક્ષેત્રફળમાં બેક્ટેરિયા અને વાયરસ મુક્ત હવા આપે છે. રવિએ જણાવ્યા અનુસાર આ પ્યુરીફાયર સો ટકા ઓઝોન ફ્રી છે. કોઈ પણ પ્રકારની ધૂળ કણ પણ હવામાં નથી રહેતા. તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. આઈસીયુમાં દર્દીના હોવા છતાં હવાને શુદ્ધ કરી શકાય છે.