વિમાનમાં મુસાફરી કરતા સમયે ફ્લાઇટમાં કે ભુલક્કડ મુસાફરો કેટલીક ચીજવસ્તુ એરપોર્ટ પર ભૂલી જતા હોય છે. આ સંજોગોમાં ગત જૂન મહિનાથી અમદાવાદ સહિત દેશનાં તમામ એરપોર્ટ પર મળેલી પ્રવાસીઓની વસ્તુ અંગે ઓનલાઇન સુવિધા શરૂ કરવામાં આવી છે. જોકે જાણકારીના અભાવે બહુ ઓછો લોકો તેનો લાભ લે છે.
તેના માટે મુસાફર એરપોર્ટ ઓથોરિટીની વેબસાઇટ પર જેાઇ પોતાની વસ્તુ અંગે માહિતી મેળવી શકે છે. અમદાવાદ એરપોર્ટ પર વર્ષે અંદાજે ૧૫૦૦ જેટલી વસ્તુ પેસેન્જર ભૂલી જાય છે. જૂન મહિનાથી એરપોર્ટ ઓથોરિટી www.aai.aero/hi/airports/ahmedabad વેબસાઈટ પર જે તે એરપોર્ટ પર મળેલી વસ્તુની યાદી રોજ પ્રસિદ્ધ કરે છે.
સાથે એરપોર્ટના ફોન નંબર અને મેલ આઇડી પણ આપે છે. મુસાફર પોતાની વસ્તુનું નામ જોઇ જે તે એરપોર્ટનો સંપર્ક સાધી શકે છે અને પરત મેળવવા પ્રોસિજર કરી શકે છે. જો પોતે ન આવી શકે તો કોઇને ઓથોરિટી લેટર આપી મોકલી શકે છે. અથવા ઓનલાઇન પણ ક્લેમ કરી શકે છે.
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ મુસાફરો લાખો રૂપિયાનાં ઘડિયાળ મોંઘા ફોનના ચાર્જર બેગ કે પાઉચ તેમજ રોકડ એરપોર્ટ કે ફ્લાઇટમાં પણ ભૂલી જાય છે મુશ્કેલી એ છે કે મોટા ભાગના મુસાફરોને ઓનલાઇન સુવિધા શરૂ થયા અંગે જાણ નથી.
તેથી વેબસાઈટન ‘ખાેયા પાયા’ સુવિધાનો ઉપયોગ હજી જોઇએ તેટલો શરૂ થયો નથી. અમદાવાદ માટે માંડ ગણીને ૨૦ જેટલા લોકોએ આ સુવિધાનો લાભ લીધો હશે. જો કે આ સુવિધાના ઉપયોગથી મુસાફરો માટે ઘણી સરળતા થઇ જશે. તેવું ઓથોરિટીએ વધુમાં જણાવ્યું હતું.