દિલ્હીમાં અડધો ડર્ઝનથી વધારે વિસ્તારોમાં ગુણવત્તા એટલે કે AQI હજું પણ 400ને પર બનેલો છે. જેથી બાળકોને શ્વાસ ફુલવાની સમસ્યા આવી રહી છે.
દિલ્હીમાં AQI હજું પણ 400ને પર બનેલો
દિલ્હીની હવામાં ઝેર ઓછું નથી થઈ રહ્યું
બાળકોને શ્વાસ ફુલવાની સમસ્યા
દિલ્હીમાં AQI હજું પણ 400ને પર બનેલો
દિલ્હીની હવામાં ઝેર ઓછું નથી થઈ રહ્યું. ગત લગભગ એક અઠવાડિયાથી દિલ્હીની હવા ખરાબ છે. જેની અસર આજે પણ જોવા મળી રહી છે. દિલ્હીમાં અડધો ડર્ઝનથી વધારે વિસ્તારોમાં ગુણવત્તા એટલે કે AQI હજું પણ 400થી પર બનેલો છે. આનંદ વિહાર, દ્વારકા, પટપડગંજ, વજીરપુર સહિત અનેક વિસ્તારોમાં આજે સવારે 9 વાગે AQIનું સ્તર 400થી વધારે રહ્યું છે. ત્યારે ચાંદની ચૌક, આઈટીઓ, લોધી રોડ જેવા વિસ્તારોમાં પણ આ 300થી 400ની વચ્ચે બનેલો રહ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણની સૌથી વધારે અસર બાળકો અને વુદ્ધો પર જોવા મળી રહ્યો છે. દિલ્હીની શ્વાસ રુંધાવવા વાળી હવાના કારણે બાળકોને શ્વાસ ફુલવાની સમસ્યા આવી રહી છે.
બાળકોને શ્વાસ ફુલવાની સમસ્યા
પરાળી (ઠુંઠા) સળગાવવા અને વાહનોથી થનારા પ્રદૂષણના કારણે દિલ્હીમાં બાળકો બિમાર પડવા લાગ્યા છે. આજે સવારે લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં એક મહિલા પોતાના 3 વર્ષની બાળકી સાથે પહોંચી. આ બાળકીને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી. મહિલાએ જણાવ્યું કે ગત અનેક દિવસોથી આ સમસ્યા આવી રહી હોવાથી તે દીકરીને ડોક્ટરની પાસે લાવી છે. બીજી તરફ પ્રદૂષણ પર નજર રાખનારી સંસ્થાઓએ પણ પોતાની શોધના આધારે દિલ્હીની હવાને બાળકો માટે ખતરનાક ગણાવી છે.
ધ એનર્જી એન્ડ રિસોર્ટ ઈન્સ્ટીટ્યૂટ (ટેરી)એ પોતાની તાજા શોધમાં 413 બાળકો પર થયેલા સ્વાસ્થ્ય સર્વેક્ષણના આધારે કહ્યું કે પ્રદૂષણના કારણે 75.4 ટકા બાળકોને શ્વાસ ફુલવાની ફરિયાદ કરી. ત્યારે 24.2 ટકા બાળકોએ આંખમાં ખંજવાળ, 22.3 ટકામાં નિયમિત રુપથી છિંકવા અને નાક વહેવા તથા 20.9 ટકામાં ખાંસીમાં સમસ્યા જોવા મળી છે. સર્વેક્ષણમાં સામેલ આ બાળકોની ઉંમર 14થી 17 વર્ષની વચ્ચે હતી. આ સ્ટડી ભારતના 6 શહેકોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિને જાણવા માટે કરવામાં આવી છે. જેમાં દિલ્હી, લુધિયાણા, પટિયાલા, પંચકુલા, વિશાખાપટ્ટનમ અને જૈસલમેર સામેલ છે.