કોરોનાના કારણે દેશમાં લોકડાઉન જારી કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનના કારણે હવાનું પ્રદુષણમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. લોકડાઉનના કારણે ટ્રાફિક નથી, નિર્માણ કાર્ય બંધ છે. આ સાથે જ ઓદ્યોગિક એકમો પર ગતિવિધિઓ પણ બંધ છે જેને લઇ હવાનું પ્રદૂષણ સતત ઘટી રહ્યું છે.
લોકડાઉનના કારણે દેશના હવા પ્રદૂષણમાં મોટો બદલાવ
છેલ્લા કેટલાક વર્ષો બાદ સ્વચ્છ હવા લઇ રહ્યાં છે દેશના લોકો
ભારતના 35 શહેરોમાં હવાની ગુણવત્તા સારી
અત્યારસુધી ભારતમાં હવાનું સૌથી સારી ગુણવત્તાનું સ્તર થયું છે. છેલ્લા કેટલાક વર્ષો બાદ ભારતના લોકો સૌથી સ્વસ્છ હવામાં શ્વાસ લઇ રહ્યાં છે. ભારતના 35 શહેરોમાં હવાની ગુણવત્તા સારી છે. ત્યારે વિશેષજ્ઞનું કહેવું છે કે આ સ્થિતિ અભૂતપૂર્વ અને અવિશ્વસનીય છે.
સૌ પ્રથમ વખત એર ક્વોલિટી ઇન્ડેક્સ સારો નોઁધાયો
કારણ કે ભારતમાં એરક્વોલિટી ઇન્ડેક્સ લોન્ચ 2014માં થયું હતું. ત્યાર બાદ આ સૌથી સારો એરક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. તો દિલ્લીમાં પણ અત્યાર સુધીમાં સૌથી સારો એરક્વોલિટી ઇન્ડેક્સ 45 નોંધાયો છે.
દેશમાં કોરોના પોઝિટિવની સંખ્યાં 900ને પાર
લૉકડાઉનની વચ્ચે પણ દેશમાં કોરોના વાયરસસે હાહાકાર મચાવ્યો છે જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં 160થી વધુ કેસ નોંધાયા છે અને આ સાથે જ પોઝિટિવ કેસની સંખ્યા 900ને પાર પહોંચી છે.
દેશમાં કુલ 22 લોકોના મોત
દેશમાં કોરોના વાયરસથી 24 લોકોના મોત થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસની કુલ સંખ્યા 55 પહોંચી છે જેમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો આ મામલે રાજ્યના ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક અસરથી એક બેઠક પણ બોલાવી હતી અને દેશની સ્થિતિ વિશે સમીક્ષા કરી હતી.