જનરલ બિપિન રાવતના નિધન બાદ ખાલી પડેલો સીડીએસનો હોદ્દો ભરવા માટે કેન્દ્ર સરકારે પહેલું પગલું ભર્યું છે.
નવા સીડીએસની નિયુક્તીનો મામલો
સરકારે એરફોર્સ એક્ટ 1950માં કર્યો સુધારો
એર માર્શલ અને એર ચીફ માર્શલને સીડીએસ બનાવી શકાય
કેન્દ્ર સરકાર એરફોર્સમાં કામ કરી રહેલા અથવા રિટાયર થઈ ચૂકેલા એર માર્શલ અને એર ચીફને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવી શકે છે. આ માટે સંરક્ષણ મંત્રાલયે સોમવારે એરફોર્સ એક્ટ 1950ના સેક્શન 190 હેઠળ એરફોર્સ રેગ્યુલેશન 1964માં સુધારો કર્યો છે. આ સુધારા બાદ સરકાર હવે એરફોર્સના કોઈ અધિકારીને સીડીએસ બનાવી શકે છે. સંરક્ષણ મંત્રાલયે નોટિફિકેશન પણ જારી કરી દીધું છે.
...or officers who have retired in the rank of Lt Gen or Gen but have not attained the age of 62 years on the date of appointment (2/2) pic.twitter.com/tP8hn8xaTh
એરફોર્સ કાયદામાં સરકારે કર્યો સુધારો
હવે આ કાયદાને એરફોર્સ (સુધારા) રેગ્યુલેશન 2022 નામથી ઓળખવામાં આવશે. 1964ના એરફોર્સના રેગ્યુલેશન 213એની જોગવાઈની હટાવીને તેમાં 213એબી સામેલ કરવામાં આવ્યું છે.
Ministry of Defence issues gazette notifications to amend regulations of 3 defence forces related to appointment of Chief of Defence Staff. For appointing CDS the govt may consider officers who are serving as Lt Gen equivalent or General equivalent ...(1/2) pic.twitter.com/3leGJB4SD4
જનરલ બિપિન રાવતનો હોદ્દો ખાલી પડ્યો છે
જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનમાં થયેલા નિધનને કારણે હાલમાં સીડીએસનો હોદ્દો ખાલી પડ્યો છે. સરકારે હજુ સુધી સીડીએસની નિયુક્તી કરી નથી પરંતુ હવે આ દિશામાં સરકારે કાર્યવાહી શરુ કરી છે.
આવતે અઠવાડિયે થઈ શકે નવા સીડીએસની જાહેરાત
સૂત્રોએ એવું પણ કહ્યું કે કેન્દ્ર સરકારે આવતે અઠવાડિયે નવા સીડીએસના નામની જાહેરાત કરી શકે છે કારણ કે આ સંદર્ભમાં નિર્ણય લેવાઈ ચૂક્યો છે.
પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં થયું હતું નિધન
8 ડિસેમ્બરના રોજ એક દર્દનાક ઘટનામાં ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત પોતાની પત્ની સાથે હવાઈ દુર્ઘટનામાં શહીદ થયા હતા. આ ઘટનામાં ઘણા સંરક્ષણ કર્મચારીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સીડીએસ રાવત તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ (ડીએસએસસી)માં જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. બીજા દિવસે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સંસદના બંને ગૃહોને માહિતી આપી હતી કે કુન્નુર એર બેઝ એર ટ્રાફિક કંટ્રોલે તેના નિર્ધારિત ઉતરાણની લગભગ 12.08 મિનિટ પહેલાં સવારે 12.08 વાગ્યે એમઆઈ -17 વી 5 હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. થોડી જ મિનિટોમાં, જવાનોને લઈ જતું એમઆઈ -17 વી 5 વિમાન કુન્નુર તાલુકાના જંગલ વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું.
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર ક્રેશમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકલા જ બચી ગયા હતા. 9 ડિસેમ્બરના રોજ તેમને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાંથી કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જો કે, થોડા દિવસો બાદ વધુ ઇજાઓને કારણે તેમનું પણ અવસાન થયું હતું.