જેટ એરવેઝના શટડાઉન બાદ સરકારી વિમાન સેવા કંપની એર ઇન્ડિયાએ યાત્રીઓ માટે રાહત ભર્યો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયા હવે પ્રસ્થાનના 3 કલાકની અંદર ટિકીટ બુક કરાવવા પર 40 ટકાથી વધારેનું ડિસ્કાઉન્ટ આપશે.
એર ઇન્ડિયાના આ નિર્ણયથી એ યાત્રીઓને રાહત થશ જે આપતકાલીન સ્થિતિમાં યાત્રા કરે છે. જેનાથી વધારે ભાવોમાં ટિકીટ ખરીદવી પડતી હતી. આ નિર્ણય અધિકારીઓએ ગુરુવારે એર ઇન્ડિયા મુખ્યાલયના એક વાણિજ્યિક સમીક્ષા બેઠક દરમિયાન લીધો.
તમામ આઉટલેટ પરથી ખરીદી શકો છો ટિકીટ
કંપનીએ નિવેદનમાં કહ્યું કે યાત્રી એર ઇન્ડિયાનું બુકિંગ કાઉન્ટર, મોબાઇલ એપ, વેબસાઇટ અને ટ્રાવેલ એજન્ટો સહિત તમામ આઉટલેટથી ટિકીટ ખરીદી શકો છો.
જણાવી દઇએ કે એનાથી એક તરફ યાત્રીઓને રાહત મળશે. તો બીજી બાજુ એરલાયનની ખાલી જતી સીટોમાં પણ વધારો આવશે જેનાથી આવક વધશે.