એર ઇન્ડિયા ગ્રુપની દિવસભરમાં કુલ 674 ફ્લાઇટ્સ હોય છે. એમાં ગ્રપુરની સહાયક કંપનીઓ જેમ કે અલાયન્સ એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સામેલ છે. એમાંથી 137 ફ્લાઇટના યાત્રીઓને આજે પણ સમસ્યાનો સામનો કરવો પડી શક્યો છે.
એર ઇન્ડિયાના યાત્રીઓની પરેશાની ઓછી થવાનું નામલઇ રહી નથી. સૉફ્ટવેરમાં ખરાબીના કારણે શનિવાર બાદ રવિવારે પણ 137 ઉડાનોના પરિચાલન પર અસર જોવા મળી, શનિવારે સમગ્ર વિશ્વમાં એર ઇન્ડિયાના હજારો યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
રવિવારે ઉડાનોમાં 197 મીનિટ લેટ ચાલી રહી છે. શનિવારે કુલ 149 ઉડાનો પર અસર જોવા મળી હતી. ટેકનીકી ખરાબીના કારણે એર ઇન્ડિયાના ચેક ઇન, બેગ અને આરક્ષણ સૉફ્ટવેરમાં સમસ્યા આવી ગઇ હતી. શનિવારે રાતે 8.30 વાગ્યા સુધી શિડ્યૂલ ઉડાનો પર એની અસર પડી છે. એર ઇન્ડિયા ગ્રુપ દરરોજ આશરે 674 ઉડાનો સંચાલિત કરે છે.
'સીતા' દ્વારા સંચાલિત સૉફ્ટવેરના કારણે દુનિયાભરમાં રિઝર્વેશન, ચેક ઇન અને બેગેજ સિસ્ટમ ઠપ પડી ગઇ છે. કેટલીક જગ્યાએ મેન્યુઅલ તરીકે કામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ સફળતા મળી નથી.
એર ઇન્ડિયા સીતા કંપનીનનો પીએસએસ ઉપયોગ કરે છે. દેશમાં કોઇ બીજી એરલાયન આ સિસ્ટમનો ઉપયોગ કરતી નથી.