એર ઇન્ડિયાને વર્ષ 2018-19માં 8,400 કરોડ રૂપિયાની ખોટ જાવા મળી છે. એર ઇન્ડિયા છેલ્લા ઘણા સમયથી રૂપિયાને લઇને સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. હાલમાં જોવા મળેલી ખોટને જોતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખોટની રકમને જોતાં એક નવી એરલાઇન્સ ઉભી થઇ શકે.
પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં એર ઇન્ડિયાને 491 કરોડ રૂપિયાનું થયું નુકસાન
એર ઇન્ડિયાને 175થી 200 કરોડનું ઓપરેટિંગ નુકસાન
2019-20ના નાણાંકીય વર્ષને લઇને એર ઇન્ડિયાના અધિકારીઓને છે આશા
સ્પાઇસ જેટનું માર્કેટ કેપિટલ જાણી ચોંકી જશો તમે
દેશમાં સફળતાથી ચાલી રહેલી એરલાઇન્સ સ્પાઇસ જેટનું માર્કેટ કેપિટલ ફક્ત 7,892 કરોડ રૂપિયા છે. એટલે કે 8,000 કરોડ રૂપિયાથી ઓછી કિંમતમાં આ એરલાઇન્સ ખરીદી શકાય છે. નાણાંકીય 2018-19ના વર્ષમાં એર ઇન્ડિયાની કુલ આવક 26,400 કરોડ રૂપિયા જોવા મળી. આ દરમિયાન કંપનીને 4,600 કરોડ રૂપિયાનું ઓપરેટિંગ નુકસાન ઉઠાવવું પડ્યું છે.
એર ઇન્ડિયાને 175થી 200 કરોડનું ઓપરેટિંગ નુકસાન
કંપનીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જૂનના ત્રિમાસિકમાં જ પાકિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરવાના કારણે એર ઇન્ડિયાને 175 થી 200 કરોડ રૂપિયાનું ઓપરેટિંગ નુકસાન થયું છે. વધતી ક્રૂડ ઓઇલની કિંમત અને પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો માટે એર સ્પેસ બંધ કરવાના નિર્ણય બાદ એર ઇન્ડિયાને રોજ 3 થી 4 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે.
પાકિસ્તાન એરસ્પેસ બંધ થવાથી 491 કરોડ રૂપિયાનું નુકસાન
સરકારી આંકડાઓ મુજબ 2 જુલાઇ સુધી એર ઇન્ડિયાને પાકિસ્તાનના એરસ્પેસ બંધ થવાના કારણે 491 કરોડ રૂપિયાનું નુકસાન થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કેપાકિસ્તાને 1 ફેબ્રુઆરીમાં બાલાકોટ સ્ટ્રાઇક બાદ પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. જેને જુલાઇમાં ખોલ્યું હતું. જો કે પાકિસ્તાને ફરી ઓગસ્ટમાં એરસ્પેસ બંધ કર્યું હતું. જેમાં ખાનગી એરલાઇન્સ સ્પાઇસ જેટ, ઇન્ડિંગો અને ગોએરને તબક્કાવાર 30.73 કરોડ, 25.1 કરોડ અને 2.1 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
2019-20ના નાણાંકીય વર્ષને લઇને એર ઇન્ડિયાના અધિકારીઓને છે આશા
આમ છતાં અધિકારીઓને આશા છે કે 2019-20ના અંત સુધીમાં દેવામાં ડૂબેલી એર ઇન્ડિયા ફરી નુકસાનીમાંથી બહાર આવશે અને ફાયદો જોવા મળશે. અધિકારીઓનું કહેવુ છે કે જો ક્રૂડ ઓઇલમાં હવે વધારો ન થાય તેમજ વિદેશી મુદ્રામાં ઉતાર-ચઢાવ જોવા ન મળે તો એર ઇન્ડિયાને આ વર્ષે 700થી 800 કરોડ રૂપિયા ઓપરેટિંગ ફાયદો થઇ શકે છે.