લૉકડાઉનના બીજા તબકકાની સમાપ્તિના બીજા દિવસે એટલે કે 4 મે થી એર ઇન્ડિયાએ કેટલીક જગ્યા માટે ડૉમેસ્ટિક ફ્લાઇટ ઉડાવવાનો નિર્ણય કર્યો છે જેના માટે ટિકીટ બુકિંગ શરૂ થઇ ગયું છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ 1 જૂનથી શરૂ થશે જેના માટે પણ બુકિંગ ચાલુ છે.
4 મે થી એર ઇન્ડિયાની ડૉમેસ્ટિક ફ્લાઇટ શરૂ
1 જૂનથી શરૂ થશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ
બંને ફ્લાઇટ માટે ટિકીટ બુકિંગ શરૂ
બીજા તબક્કાનું લૉકડાઉન 3 મે સુધી
સરકારી ક્ષેત્રની વિમાન કંપની એર ઇન્ડિયાએ લૉકડાઉન બાદ પોતાની સેવાઓ શરૂ કરવા માટે જાણકારી આપી છે. શનિવારે એર ઇન્ડિયાએ જણાવ્યું કે 1 મે થી એ આંતરરાષ્ટ્રીય ઉડાન માટે ટિકીટ બુક કરવાનું શરૂ કરી દેશે. સરકારી એરલાયન્સે એવુ પણ જણાવ્યું કે લૉકડાઉન પૂરુ થવાના બીજા દિવસે એટલે કે 4 મે થી કેટલીક ડૉમેસ્ટિક રૂટો માટે ટિકીટ બુક કરવાનું શરૂ કરી દેશે.
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે લૉકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ એર ઇન્ડિયાએ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય રૂટો પર પોતાની સેવાઓ મોડી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. જણાવી દઇએ કે કોરોના વાયરસ મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ વિમાન સેવાઓ બંધ છે.
સરકારી વિમાન કંપનીએ જણાવ્યું કે કેટલીક પસંદગીના રૂટો પર 4 મે થી ટિકીટ બુક કરવાનું શરૂ કરી દેશે. એમાં દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, કલકત્તા, બેંગ્લોર પણ સામેલ છે.
લૉકડાઉન સુધી બુકિંગ સેવાઓ બંધ
એર ઇન્ડિયાએ પોતાની વેબસાઇટ પર આપેલી જાણકારીમાં કહ્યું કે વર્તમાનમાં લૉકડાઉનના કારણે એને 31 મે સુધી આંતરરાષ્ટ્રીય રૂટો પર ટિકીટ બુકિંગ સેવાઓ બંધ કરી દીધી છે. જ્યારે ડૉમેસ્ટિક સેવા 3 મે સુધી બંધ છે.
જણાવી દઇએ કે લૉકડાઉનના બીજા તબક્કાની જાહેરાત બાદ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે જો કોઇ યાત્રીએ 15 એપ્રિલ બાદ કરેલી યાત્રા માટે 24 માર્ચથી લઇને 14 એપ્રિલની વચ્ચે કોઇ ટિકીટ બુક કરી છે તો વિમાન કંપનીઓએ એનું રિફંડ આપવું પડશે. કોઇ પણ કંપની કોઇ પણ કારણે ટિકીટોમાં રિફંડમાં કાપ કરશે નહીં.
ઇન્ડિગોએ આપી ઉડાન શરૂ કરવાની જાણકારી
આ પહેલા ખાનગી ક્ષેત્રની વિમાન કંપની Indigoએ પોતાની ઉડાન શરૂ કરવા માટે નવો પ્લાન જારી કર્યો હતો. કંપનીએ 4 મે થી ઉડાણ શરૂ કરવાની જાણકારી આપી છે. જણાવી દઇએ કે એવિએશન મિનિસ્ટ્રીએ પણ 3 મે રાત 11:59 વાગ્યા સુધી કોઇ પણ ફ્લાઇટ નહીં ઉડાવવાનો નિર્ણય કર્યો છે.