જમ્મૂ-કાશ્મીરના તણાવના અને એલર્ટની વચ્ચે Air Indiaએ મોટો નિર્ણય કર્યો છે. Air Indiaએ 15 ઓગસ્ટ સુધી તમામ ફ્લાઇટ્સનું ભાડુ નક્કી કરી દીધુ છે.
Air Indiaના પ્રવક્તા અનુસાર, શ્રીનગરથી ક્યાંય પણ યાત્રા કરવા પર 9500 રૂપિયા ભાડું નક્કરી કરવામાં આવ્યુ છે. જ્યારે શ્રીનગરથી દિલ્હીની ફ્લાઇટનુ ભાડું 6715 રૂપિયા અને દિલ્હીથી શ્રીનગરનું ભાડું 6899 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે.
Air India Spokesperson Dhananjay Kumar to ANI: Air India has decided to cap the fare at Rs 9500 for all our flights to and from Srinagar till 15th August pic.twitter.com/ZgeMBSdC10
જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ Air India દ્વારા શ્રીનગરથી ફ્લાઇટનું ભાડુ 6715 રૂપિયા નક્કી કરવા પર Air India અને પ્રધાનમંત્રી કાર્યાલયનો આભાર માન્યો છે. દિલ્હીથી શ્રીનગરની ફ્લાઇટનું ભાડું 6899 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે. અબ્દુલ્લાએ કહ્યુ કે, '''હવે બીજી એરલાઇન્સને પણ ભાડું નક્કી કરી લેવુ જોઇએ. તમને જણાવી દઇએ કે, શ્રીનગરથી પરત આવવા માટે કેટલીક એરલાઇન્સ કંપનીઓએ પોતાનું ભાડું 4થી 5 ગણું વધારી દીધુ છે.''
એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના અનુસાર, શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે 6216 યાત્રી કાશ્મીર ઘાટીથી નીકળવા માટે હાજર હતા, જેમાંથી 5829 યાત્રીઓને 32 શેડ્યૂલ ફ્લાઇટની મદદથી જ મોકલવામાં આવ્યા. જ્યારે બાકીના 387 યાત્રીઓને વાયુસેનાએ એક વિમાનની મદદથી લઇ જવામાં આવ્યા. આ યાત્રીઓને જમ્મૂ, પઠાણકોટ અને હિંડન એરબેસ પરથી લાવવામાં આવ્યુ.
જમ્મૂ-કાશ્મીર પ્રશાસનની એડવાઝરીની અસર અમરનાથ યાત્રાઓ પર જોવા મળ્યો. આજે જમ્મૂથી એક પણ યાત્રા અમરનાથ જવા માટે રવાના નથી થયુ. બાલતાલમાં પણ અમરનાથ યાત્રીઓ નથી. પહલગામમાં રહેલા 670 તીર્થયાત્રીઓને શ્રીનગર પરત બોલાવી લેવામાં આવ્યા છે.