કાબુલમાં ફસેલા 25 ભારતીય નાગરિકો સહિત કુલ 78 યાત્રી એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી નવી દિલ્હી ગયા હતા.
અફઘાનિસ્તાનમાંથી 25 ભારતીયો દિલ્હી પહોંચ્યા
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તેમનું સ્વાગત કર્યું
ગુરુગ્રંથ સાહિબને મસ્તક પર મુકી એરપોર્ટ બહાર લઈને આવ્યા
અફઘાનિસ્તાનમાં તાલિબાન સંકટની વચ્ચે મંગળવારે હિન્દૂ અને શીખ શરણાર્થીઓની સાથે 25 ભારતીય રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. તાઝિકિસ્તાનના દુશાંબેથી ઉડાનભરનાર એર ઈન્ડિયાના આ વિમાનમાં લગભગ 78 લોકો સવાર હતા. એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તેમનું સ્વાગત કર્યું હતું. તે ગુરુગ્રંથ સાહિબને મસ્તક પર મુકીને એરપોર્ટની બહાર લઈને આવ્યા હતા. એક દિવસ પહેલા જ આ યાત્રીઓને તાલિબાન નિયંત્રિત કાબુલથી ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા દુશાંબે લઈ જવામાં આવ્યા હતા. ગયા સોમવારે ભારતે 75 શીખોને અફગાનિસ્તાનથી સફળતાપૂર્વક કાઢવામાં આવ્યા હતા. સરકારે કહ્યું કે આ પ્રક્રિયા ચાલતી રહેશે.
ભારતીયોને દિલ્હીમાં લાવવામાં આવ્યા
વિદેશ મંત્રાલયની તરફથી જાણકારી આપવામાં આવી છે કે 25 ભારતીય નાગરિક સહિત 78 યાત્રી તાઝિકિસ્તાનના દુશાંબે એર ઈન્ડિયાના ખાસ વિમાન દ્વારા નવી દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું, 'વાહે ગુરુ કા ખાલસા, વાહેગુરૂ કી ફતેહ'ના નારા લગાવી રહેલા શીખ સમુદાયના લોકોનો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ ભારત પહોંચેલા ભારતીય નાગરિકોને ભારત માતાની જયકારાના નારો લગાવતો વીડિયો સામે આવ્યો છે.
કેન્દ્રીય મંત્રી પુરીએ કર્યું ટ્વીટ
કેન્દ્રીય મંત્રી પુરીએ ટ્વીટ કર્યું હતું કે ગુરુ ગ્રંથ સાહિબના ત્રણેય સ્વરૂપો અને 46 અફઘાનિ શીખ, હિન્દુ સહિત 75 લોકો ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા એર લિફ્ટ કરવામાં આવે છે. તેમણે લખ્યું હતું કે, "ત્રણ ગુરુ ગ્રંથ સાહિબ જીને કાબુલ એરપોર્ટથી ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા લાવવામાં આવ્યા. ફસાયેલા ભારતીઓની સાથે 46 અફઘાનિ હિન્દૂ અને શીખોને તે ફ્લાઈટમાં પરત લાવવાનું સૌભાગ્ય મળ્યું છે. "