અમદાવાદ સુરત જેવા શહેરોમાં ટ્રાફિકજામથી આપણે સૌ પરેશાન છીએ. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવા શહેરોમાં આ સમસ્યા આપણાથી પણ બદતર છે. એવા જ એક ટ્રાફિકજામમાં દિલ્હીનો એક પાયલોટ ફસાઈ ગયો અને એર ઇન્ડિયાની બેંગ્લોર જતી ફ્લાઈટના બધા પ્રવાસીઓ આ કારણે અટવાઈ ગયા.
એક આશ્ચર્યજનક ઘટના સામે આવતા નવી દિલ્હીમાં બુધવારે દિલ્હી થી બેંગ્લોર જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 502ના બોર્ડિંગમાં 3 કલાકનું મોડું થયું હતું. યાત્રીઓએ જણાવ્યું હતું કે પાયલોટે તેમને જણાવ્યું હતું કે તે દિલ્હીની સડકો ઉપર ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે ફ્લાઈટ દિલ્હીથી બપોરે 1 વાગીને 30 મિનિટે ઉપડવાની હતી પરંતુ આ આ પ્રકારનું મોડું થતા ફ્લાઈટ છેક 4 વાગીને 20 મિનિટે ઉપડી હતી અને બેંગ્લોર સાંજે 7 વાગીને 9 મિનિટે પહોંચી હતી.
ફ્લાઈટના એક પેસેન્જરે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમણે મેન્ટેનન્સના કારણે 30 મિનિટ મોડું થવાની જાહેરાત કરી હતી. ત્યાર પછી ઉપડવાનો સમય 3 વાગ્યાનો કરી દેવાયો હતો.
પેસેન્જરોએ ઉધડો લેતા કરી કબુલાત
જયારે આ મુદ્દે યાત્રીઓએ હોબાળો મચાવ્યો ત્યારે તેમને માહિતી આપવામાં આવી કે મોડું મેન્ટેનન્સના લીધે થયું નહોતું પરંતુ ફ્લાઈટનો કો પાયલોટ ગેરહાજર હતો. આ માહિતી એર ઇન્ડિયાના સ્ટાફે જણાવી હતી.
ટ્વીટર પર યાત્રીઓએ ઝાટકી એર ઇન્ડિયાને
પેસેન્જરોએ ટ્વિટર ઉપર પોતાનો રોષ ઠાલવતા વિજય રામચંદ્રને લખ્યું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઈટ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે.
@MoCA_GoI HELP. @airindiain pilot for flight AI 502 scheduled to depart at 13:30 from Delhi to Bangalore is stuck in traffic it seems.
સુશીલ નામના એક બીજા પેસેન્જરે ટ્વિટર ઉપર લખ્યું હતું કે ત દિલ્હી એરપોર્ટ ઉપર 12 વાગ્યાથી રાહ જોઈ રહ્યો છે. ફ્લાઈટ 30 30 મિનિટ લેટ હોવાનું સતત એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે અને હવે 3:30 થઇ ગયા છે. આને લગતા કોઈ સમાચાર નથી અને કોઈ રિફંડ કે રિફ્રેશમેન્ટ ઓફર કરવામાં આવ્યું નથી. એર ઈંડિયાનું ભવિષ્ય ધૂંધળું લાગે છે.
Been waiting at Delhi airport since 1200 for a 1330 Air India flight to Bangalore. Departure postponed 30 minutes each time to 1500. Its now 1530.. no news no movement no compensation no offer for refreshments. Classic Air India. 😬. Future unknown.