યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી છેલ્લી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભરી ચૂકી છે. એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તે કાબુલ માટે તેની ફ્લાઇટ્સ અટકાવશે નહીં.
એર ઇન્ડિયાની ફ્લાઇટે કાબુલમાંથી ભરી ઉડાન
126 મુસાફરો સાથે કાબુલથી રવાના થયું, રાત્રે દિલ્હી પહોંચશે
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવતા રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને નાસી છૂટ્યા છે, તેમણે તઝાકિસ્તાનમાં શરણ લીધું હોવાનું જણાવાય છે.ત્યારે હવે અફઘાનિસ્તાન પર સંપૂર્ણ રીતે તાલિબાનનું રાજ છે. લોકો ઘરબાર છોડી જીવ બચાવવા હવાતિયા મારી રહ્યા છે. અફઘાનિસ્તાનનું મુખ્ય શહેર કાબુલ પણ તાલિબાનના કબજામાં આવી ગયું છે. લોકો કાબુલ શહેર છોડી નાસ ભાગ કરી રહ્યા છે. સામે તાલિબાને શાંતિથી સત્તા હસ્તાંતરણ કરવાની વાત કરી છે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ સેનાને કાબુલની પરિસ્થતિ વધુ ન વણસે અને લોકો ડરી અફરાતફરી ન કરે તે માટે સેનાને નિયંત્રણ રાખવાના છેલ્લા આદેશ આપી ચૂક્યા છે..
અગાઉ, લગભગ એક કલાક સુધી આકાશમાં પરિક્રમા કર્યા બાદ વિમાનને કાબુલમાં ઉતરવાની પરવાનગી મળી હતી. લેન્ડિંગ બાદ વિમાનનું રિફ્યુઅલ કરવામાં આવ્યું અને ત્યારબાદ વિમાન મુસાફરો સાથે દિલ્હી જવા માટે રવાના થયું. દરમિયાન, એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તે કાબુલ માટે તેની ફ્લાઇટ્સ અટકાવશે નહીં. એર ઇન્ડિયાની ફ્લાઇટ 126 મુસાફરોને લઈ અફઘાનિસ્તાનમાંથી ઉડાન ભરી ચૂકી છે.. સૂત્રોના જણાવ્યા અનુસાર તે આજ મોડી રાત સુધીમાં નવી દિલ્હી પહોંચે તેવી ધારણા છે.સૂત્રોએ જણાવ્યું કે એર ઇન્ડિયાના વિમાન AI-244 માં 126 મુસાફરો સવાર છે.તાલિબાનોના હુમલાને કારણે એરલાઈનની અઠવાડિયામાં ત્રણ વખત કાબુલ માટે ફ્લાઈટ અંગે અનિશ્ચિતતા છે. સૂત્રોએ જણાવ્યું કે કાબુલ માટે એક ચાર્ટર ફ્લાઇટ આજે રદ કરવામાં આવી છે.યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી એર ઇન્ડિયાનું છેલ્લું વિમાન ભારત માટે ઉડાન ભરી ચૂક્યું છે. હવે આગળ અફઘાનિસ્તાનની પરિસ્થિતિને જોતા ફ્લાઇટના શિડ્યુલને થોડા દિવસ પૂરતા ફેરફાર કરવામાં આવી શકે છે.
અમેરિકાએ અધિકારીઓ માટે હેલિકોપ્ટર મોકલ્યા
રાજધાની કાબુલની ગલીઓ, એરપોર્ટ, બજારો વગેરેમાં દરેક જગ્યાએ લોકોના ચહેરા પર ગભરાટ છે. તમામ દેશોએ કાબુલ માટે ફ્લાઇટ રદ કરી છે. અહીં અમેરિકા પણ રાજદ્વારીઓને તેમના દૂતાવાસમાંથી હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢી રહ્યું છે. મહત્વનું છે કે અમેરિકાની સેના નિયત્રણ હેઠળ અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં શાંતિ હતી. અને તાલિબાન પર અંકુશ હતો. અમેરિકાએ સૈન્ય પાછું બોલાવતા તાલિબાન સરકાર પર હાવી થઈ ગયું છે અને હવે કાબુલ સુધી પહોંચી સત્તા મેળવવાના પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે અમેરિકાને ડર છે કે તેમના અધિકારીઓને તાલિબાનથી ખતરો છે જેથી તાત્કાલિકના ધોરણે હેલિકોપ્ટર મોકલી અધિકારીઓને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રહ્યા છે.
બ્રિટન રાજદૂતોને એરલીફ્ટ કરશે, ભારત સ્થિતિ આધારિત નિર્ણય લેશે
અફઘાનિસ્તાનની વિકટ પરિસ્થતિને સમજી એક બાદ એક દેશો પોતાના પ્રતિનિધિ એટલે કે રાજદૂતોને કાબુલ માંથી બહાર કાઢી રહ્યા છે. અમેરિકા બાદ બ્રિટને પણ રાજદૂતને એરલીફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ ભારત પણ પોતાના અધિકારીઓ એટલે કે રાજદૂતને અફઘાનિસ્તાનથી પાછો બોલાવવા વિચારી રહ્યું છે. પણ હાલ તો સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ સમજી યોગ્ય સમયે આ નિર્ણય લઈ શકે છે.