દેશમાં કોવિડ કેસોમાં ઘટાડો થવાના કારણે એર ઈન્ડિયાએ પોતાના કર્મચારીઓના પગાર વધારામાં તબક્કાવાર રીતે શરૂ કરી દીધું છે.
એર ઈંડિયાના કર્મચારીઓ માટે ખુશખબર
કર્મચારીઓના પગાર વધારા શરૂ થયા
તબક્કાવાર રીતે વધશે પગાર
દેશમાં કોવિડ કેસોમાં ઘટાડો થવાના કારણે એર ઈન્ડિયાએ પોતાના કર્મચારીઓના પગાર વધારામાં તબક્કાવાર રીતે શરૂ કરી દીધું છે. ટાટા ગ્રુપની આગેવાની વાળી આ કંપનીએ શુક્રવારે તેની જાહેરાત કરી હતી. છેલ્લા બે વર્ષમાં મહામારીના કારમે લાગૂ પ્રતિબંધોના કારણે ભારતીય વિમાન ક્ષેત્ર સમગ્ર પણે પ્રભાવિત થયું હતું અને દેશમાં તમામ વિમાન કંપનીઓએ પોતાના કર્મચારીઓના વેતનમાં કાપ મુક્યો હતો.
એર ઈંડિયાએ મંગળવારે જાહેર કરેલા દસ્તાવેજ અનુસાર મહામારી શરૂ થયા બાદ પાયલટને ઉડાન ભથ્થા, સ્પેશિયલ સેલેરી અને વાઈડ બોડી ભથ્તામાં ક્રમશ: 35 ટકા, 40 ટકા અને 40 ટકાનો કાપ મુકવામાં આવ્યો હતો. કંપનીએ કહ્યું કે, આ વર્ષે એક એપ્રિલથી આ ત્રણેય ભથ્થાને 20 ટકા, 25 ટકા અને 25 ટકા કરવામા આવી રહ્યું છે.
કોવિડકાળમાં થયો હતો 50 ટકાનો કાપ
દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર કેબિન ક્રૂ મેમ્બર્સે આ ફ્લાઈટ ભથ્થા અને વાઈડ બોડી ભથ્થામા મહામારી દરમિયાન ક્રમશ: 15 અને 20 ટકાનો કાપ મુક્યો હતો. આ બંને ભથ્થાને એક એપ્રિલથી ક્રમશ: 10 ટકા અને પાંચ ટકા કરી દેવામા આવ્યું છે. કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર અધિકારીઓ અને અન્ય સ્ટાફ સભ્યોને આપવામાં આવેલા ભથ્થામાં મહામારી દરમિયાન ક્રમશ: 50 ટકા અને 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો હતો. હવે અધિકારીઓને ભથ્થા એક એપ્રિલથી 25 ટકા કરી દેવામાં આવ્યા છે. તો વળી અન્ય સ્ટાફ સભ્યોના ભથ્થામાં મહામારીથી પૂર્વના સ્તર પર લાવવામાં આવી રહ્યા છે. કંપનીએ કહ્યું છે કે, આ ફેરફાર નિયમિત અને ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ બંનેના વેતનમાં થશે.
અન્ય કોઈ ભથ્થામાં હાલ ફેરફાર કર્યો નથી
કંપનીએ કહ્યું કે, પાયલટ, કેબિન ક્રૂ મેમ્બર્સ અને અન્ય સ્ટાફના કર્મચારીઓને તેમના વિભાગ અંતર્ગત મળતા સ્પેસિફિક અલાઉંસના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે એવી જ રીતે રહેશે જેવા 2022 માર્ચમાં છે. આ ઉપરાંત પાયલટના ઓવરટાઈમની ચુકવણીની ફરીથી સમીક્ષા કરવામાં આવશે. તેના માટે અલગથી વાત કરવામાં આવશે.