પબ્લિક સેક્ટરની એરલાઇન કંપની એર ઇન્ડિયાનું ખાનગીકરણ નિશ્ચિત છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે જાણકારી સદનમાં આપી છે. એમણે રાજ્યસભામાં બતાવ્યું કે એર ઇન્ડિયાને ચલાવવી અસભંવ છે. એમણે જણાવ્યું કે એમને રોજના 15 કરોડ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. ત્યારે 20 એરક્રાફ્ટની કમીનો સામનો કરી રહ્યા છે. તેથી અમારે હાલત સુધારવા અને ફરી વિનિવેશ કરવાની જરૂર છે.
આ પહેલી વાર છે કે જ્યારે સરકારે સ્પષ્ટપણે એર ઇન્ડિયાના ખાનગીકરણની વાત કહી છે. આ પહેલા સરકાર એર ઇન્ડિયાના વિનિવેશની કોશિશ કરતી રહી છે. વિનિવેશની ઘણી કોશિશ નિષ્ફળ પણ રહી છે. આપને જણાવીએ કે, વિનિવેશ પ્રક્રિયા ઇનવેસ્ટમેન્ટથી ઉલટું હોય છે. રોકાણનો અર્થ છે કે કોઇ વેપાર, કોઇ સંસ્થા અથવા કોઇ પરિયોજનામાં રૂપિયા લગાવવા થાય છે. જ્યારે વિનિવેશનો અર્થ તે રકમને પરત મેળવવી થાય છે.
એર ઇન્ડિયાને ચાલુ નાણાકીય વર્ષમાં 9000 કરોડ રૂપિયાનું દેવાની ચૂકવણી કરવાની છે. કંપનીએ તેના પર સરકારની મદદ માંગ હતી. પંરતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. સરકાર આ એરલાઇનમાં પોતાની 76 ટકા ભાગીદારી વેચવા માંગે છે.
પાકિસ્તાને કારણે નુકશાન
હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે એર ઇન્ડિયાને પાકિસ્તાનની ઉડાન ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધને કારણે પણ નુકશાન થયું છે. જમ્મુ કાશ્મીરમાં ગત 14 ફેબ્રુઆરીએ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાને કારણે ભારતીય ઉડાનો માટે પાકિસ્તાન હવાઇ ક્ષેત્ર બંધ કરી દેવાયું હતું.
કર્મચારીઓ પર સેલેરીનું સંકટ
હાલમાં જ એક રિપોર્ટમાં બતાવાયું હતું કે દેવામાં ડૂબેલી પબ્લિક સેક્ટરની એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાના કર્મચારીઓને આવનાર દિવસોમાં સેલરી સંકટનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટ મુજબ એર ઇન્ડિયા પાસે ઓક્ટોબર બાદ કર્મચારીઓની સેલરી આપવા રૂપિયા નથી.
એક મીડિયા સંસ્થાને સરકારી અધિકારીને જણાવ્યું કે સરકારે એર ઇન્ડિયાને 7000 કરોડની રકમ પર સોવરેન ગેરન્ટી આપી હતી. અને કંપની પાસે હવે માત્ર 2500 કરોડ રૂપિયા બચ્યા છે. આ રકમ જલ્દી જ તેલ કંપનીઓ, એરપોર્ટ ઓપરેટર્સ અને અન્ય વે્ડર્સનું ઋણ ચુકવવા ઉપરાંત કેટલાક મહીના સેલરી આપવામાં ખર્ચ થઇ જશે. કંપની ઓક્ટોબર બાદ સેલરી પણ નહીં આપી શકે.