સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાની પાસે હાલ 2500 કરોડ રૂપિયા છે, જે વેન્ડરોને ચુકવણી અને થોડા મહિનાની સેલેરી આપવામાં ખતમ થઇ જશે. એર ઇન્ડિયા દર મહિને સેલેરી પર 300 કરોડ રૂપિયા ખર્ચ કરે છે અને ઘણા મહિનાથી ચુકવણી મોડી કરી રહી છે.
જેટ એરવેઝ બંધ થયા બાદ હવે એર ઇન્ડિયાની સ્થિતિ ખૂબ ખરાબ થઇ રહી છે. કંપનીનું કહેવું છે કે એની પાસે કર્મચારીઓને ઓક્ટોબર બાદ પગાર આપવાના પૈસા નથી. આ વાતની જાણકારી બે મોટા સરકારી અધિકારીઓએ આપી છે. નામ ના જણાવવાની શરતે અધિકારીએ જણાવ્યું કે સરકારે એર ઇન્ડિયાને 7000 કરોડ ની રકમ પર સૉનરન ગેરંટી આપી હતી અને કંપની પાસે 2500 કરોડ બચ્યા છે જેનો ઉપયોગ એ જલ્દી કરી લેશે.
એક અન્ય અધિકારીએ જણાવ્યું કે તેલ કંપનીઓ, એરપોર્ટ ઓપરેટરો અને અન્ય વેન્ડરોને બાકી રહેલા ચુકવવાના અને થોડા મહિનાની સેલેરી આપવાામં આ પૈસા ખર્ચ થઇ જશે. એર ઇન્ડિયા દર મહિને સેલેરી પર 300 કરોડ રૂપિયા ખર્ચ કરે છે અને તે મહિનાથી એની ચુકવણી મોડી કરી રહી છે.
તમને જણાવી દઇએ કે આવી સ્થિતિ માત્ર એર ઇન્ડિયાની નહીં પરંતુ સરકારના સ્વામિત્વ વાળી બીએસએલ લિમિટેડ પણ સેલેરી આપવાની સ્થિતિમાં નથી. અધિકારીઓએ જણાવ્યું કે સરકારને એરલાઇન્સની સ્થિતિ માટે જાણકારી છે. એની સાથે જ 5 જુલાઇએ રજૂ થનાર બજેટમાં એવિએશન મિનિસ્ટ્રીએ આગામી બજેટ માટે પોતાની કોઇ માગ મૂકી નથી.
એક મોટા અધિકારીએ જણાવ્યું છે કે અમે અંતરિમ બજેટમાં જે માગ મૂકી હતી, એ આ વખતે પણ મૂકવામાં આવી છે. અમે એર ઇન્ડિયા માટે અલગથી કંઇ માગી રહ્યા નથી.