એર ઇન્ડિયાએ પોતાના યાત્રીઓની સુવિધા માટે એક ખાસ નિર્ણય કર્યો છે, જો તમે પણ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સફર કરો છો તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં એર ઇન્ડિયાએ 1 મેથી ટિકિટ રદ્દ કરવાની અથવા તો કોઇ પણ પ્રકારના બદલાવ કરવા પર કોઇ પણ શુલ્ક ના લેવાનો નિર્ણય કર્યો છે. જો તમે પણ ટિકિટ બુક કરાવવના 24 કલાકમાં ટિકિટ કેન્સલ કરો છો તો તમારે પૈસા નહી આપવાના રહે. આ જાણકારી એરલાઇનના એક દસ્તાવેજમાંથી મળી છે. જોકે યાત્રીઓને આ સુવિધાનો લાભ ત્યારે જ મળશે જ્યારે બુક ટિકિટ ઓછામાં ઓછી 7 દિવસ પછીની હોય.
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશને 27 ફેબ્રુઆરીના રોજ પેસેન્જર ચાર્ટર ઈશ્યૂ કર્યું હતું તેમાં પણ આ નિયમનો સમાવેશ થાય છે, જે તા.1 મેથી અમલી બનશે.એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર (સીએમડી) દ્વારા ૨૪ એપ્રિલના રોજ જારી કરવામાં આવેલ એક પરિપત્રમાં આ નિર્ણય લાગુ કરવાની જાણકારી આપવામાં આવી છે.
એર ઇન્ડિયાએ આ સાથે ખાણીપીણીના મેન્યૂમાં પણ બદલાવ કર્યો છે. હવે યાત્રીઓને હેલ્ધી નાશ્તો અને ખાવાનું આપવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલથી એર ઇન્ડિયા ના તો માત્ર તમામ સેક્ટર પર ઇકોનોમી ક્લાસ પરંતુ બિઝનેસ ક્લાસ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં લાગૂ કરી દીધો છે. હવે યાત્રીઓને વિમાનમાં બેસતાની સાથે જ વેલકમ ડ્રિંક અને કોલ્ડ ડ્રિંક અથવા તો પેક્ડ જ્યૂસની જગ્યાએ આમ પન્ના, મસાલા લસ્સી અને છાશ આપવામાં આવશે.