વુહાનમાં કોરોના વાયરસના ભયને ધ્યાને રાખીને એર ઇન્ડિયાએ પણ પોતાની તમામ તૈયારીઓ કરી લીધી છે. એયર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે, વિમાન સ્ટેન્ડબાય મોડમાં વુહાન જવા માટે તૈયાર રાખવામાં આવ્યું છે.
કોરોના વાયરસનો કહેર યથાવત
એર ઇન્ડિયાએ ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા કરી તૈયારી
કેન્દ્ર સરકારના આદેશની જોવાઇ રહી છે રાહ
કોરોના વાયરસને ધ્યાને રાખીને વુહાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા વિમાન તૈનાત કરવામાં આવ્યું છે. અધિરકારીઓએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના આદેશની રાહ જોવાઇ રહી છે.
Air India official: Air India Boeing 747 is on standby for the evacuation of Indians from Wuhan (China) due to scare of #Coronavirus. The carrier is waiting for Government decision
એર ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, એર ઇન્ડિયા બોઇંગ 747 સ્ટેન્ડબાય પર છે. કારોના વાયરસના ભયથી ચીનનાં વુહાનમાં હાજર ભારતીયોને પરત લાવવા માટે ખાસ વિમાન તૈયાર છે. કેરિયરને સરકારના નિર્ણયની રાહ છે. જણાવી દઈએ કે વુહાનથી પરત આવેલા બે વિદ્યાર્થીઓને જયપુર અને હોસ્પિટલમાં કારોના વાયરસના લક્ષણો જોયા પછી તેમને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
વુહાનમાં 250 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે
રવિવારે ભારતે ચીનમાં ફસાયેલા 250 વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો માટે ત્રીજી હોટલાઇન શરૂ કરી છે. તે બધા ભારતીય કારોના વાયરસના કેન્દ્ર એવા વુહાન શહેરમાં છે, જ્યાં લોકોના હલનચલન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જોકે ચીને ફસાયેલા અમેરિકનોને પરત મોકલી આપવાન વાત કરી છે. આવી સ્થિતિમાં ભારતીયો માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવે તેવી આશા છે.
મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ
જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ એવું લાગે છે કે સરકારે વુહાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની વ્યવસ્થા કરવા ચીની અધિકારીઓને વિનંતી કરી છે. આમાંના મોટાભાગના ભારતીય મેડિકલ અભ્યાસ માટે વુહાન ગયા છે.