સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયાએ પોતાના 700 કર્મચારીઓને આડે હાથ લીધા છે. આ કર્મચારીઓને ફ્લેટ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કર્મચારી ગત કેટલાક વર્ષથી દિલ્હીના વસંતવિહારમાં સ્થિત એર ઇન્ડિયા કોલોનીમાં રહી રહ્યા હતા.
સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયાએ પોતાના 700 કર્મચારીઓને આડે હાથ લીધા છે. આ કર્મચારીઓને ફ્લેટ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કર્મચારી ગત કેટલાક વર્ષથી દિલ્હીના વસંતવિહારમાં સ્થિત એર ઇન્ડિયા કોલોનીમાં રહી રહ્યા હતા.
હરાજી થશે જમીન
કંપનીએ કર્મચારીઓને નોટિસ જાહેર કરતા કહ્યું છે કે કોલોનીની જમીનની હરાજી કરવામાં આવશે. તેથી અહીં બનેલા ફ્લેટોને ખાલી કરવા પડશે. આ કોલોનીમાં 810 ફ્લેટ છે. જેમાંથી 676 ફ્લેટમાં કર્મચારી પોતાના પરિવારની સાથે રહે છે. એવામાં આ પરિવારને ફ્લેટને ખાલી કરવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
દિલ્હીમાં નથી ઘર
એર ઇન્ડિયાના જે કર્મચારી આ કોલોનીમાં રહી રહ્યા હતા, તેમના દિલ્હીમાં ઘર નથી. મોટાભાગના કર્મચારીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓના બાળકો નજીકની સ્કૂલમાં ભણી રહ્યા છે, જેથી તેમના પર મોટી અસર પડી શકે છે.
કોલોની છે એરપોર્ટથી નજીક
આ કોલોની એરપોર્ટથી ઘણી નજીક છે. વસંતવિહારમાં મેટ્રો સ્ટેશનથી આ કોલોની સુધી ચાલતા જઇ શકાય છે. બીજી તરફ પાસે જ વસંત લોક માર્કેટ અને હોટલ વસંત કોન્ટિનેન્ટલ છે. વસંતવિહાર દક્ષિણ દિલ્હીની સૌથી પોશ કોલોનીમાં સામેલ છે. અહીં ટુ બીએચકે ફ્લેટનું ભાડું પણ ઓછામાં ઓછુ 60 હજાર રૂપિયાથી શરૂ થાય છે. આ એવો વિસ્તાર છે કે જ્યાં ઘણી નાની કોલોની બનાવવામાં આવી છે. જ્યારે બહુમાળી બિલ્ડીંગ ખુબ ઓછી છે. મોટાભાગની કોલોની ત્રણથી ચાર માળની છે.