લોકડાઉનનો સૌથી વધુ માર એરલાઇન કંપનીઓને સૌથી વધુ પડ્યો છે. આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરતી કંપનીઓ ખર્ચ ઘટાડવાના નવા-નવા રસ્તાઓ શોધી રહી છે. ત્યારે હવે એર ઇન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ કર્મચારીઓ પગાર વિના લાંબી રજા પર ઉતારવામાં આવી શકે છે. તેને લીવ વિધાઉટ પે (એલડબ્લ્યુપી) કહેવામાં આવે છે. આ રજા 6 મહિનાથી પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે.
કોરોના સંકટને કારણે એર ઇન્ડિયાએ કર્યો મહત્વનો નિર્ણય
એર ઇન્ડિયાના કર્મચારીઓને લાગશે ઝટકો
AI પોતાના કર્મચારીને પગાર વિના લાંબાગાળાની રજા પર મોકલશે
ઇન્ડિયા ટુડેને મળેલી માહિતી અનુસાર, કંપનીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બંસલને કેટલાક કર્મચારીઓને છ મહિનાથી પાંચ વર્ષ સુધી પગાર વિના અનિવાર્યપણે રજા પર મોકલવાની સત્તા આપવામાં આવી છે. કર્મચારીઓ તેમની કાર્યક્ષમતા, ક્ષમતા, કામગીરીની ગુણવત્તા, કર્મચારીઓના સ્વાસ્થ્ય, વગેરેના આધારે પસંદ કરવામાં આવશે, જેમને રજા પર મોકલવા જોઈએ.
એર ઇન્ડિયાના પ્લાનને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં મળી મંજૂરી
એર ઇન્ડિયાના આ પ્લાનને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 102મી બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. ઓર્ડર પ્રમાણે, હેડક્વાટર અને રિઝનલ હેડને કહેવામાં આવ્યું છે કે, તેઓ પ્લાન પ્રમાણે કર્મચારીઓના નામ મુખ્યાલયને મોકલી આપી.
લૉકડાઉનને કારણે એરલાઇન કંપનીઓને પહોંચી રહ્યું છે નુકસાન
આપને જણાવી દઇએ કે, કોરોના સંકટને પહોંચી વળવા માટે દેશભરમાં ઘણા લાંબા સમય સુધી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું આ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉડાન પર પ્રતિબંધ રહ્યું જેનાથી એરલાઇન ક્ષેત્ર વધુ પ્રભાવિત થયું અને લગભગ તમામ કંપનીઓ મોટા આર્થિક સંકટ સામે બાથ ભીડી રહી છે.
ભારતમાં વધુ એરલાઇન કંપનીઓ આર્થિક નુકસાની ભરપાઇ કરવા માટે વેતનમાં કાપ અને અન્ય ઉપાય અપનાવી રહી છે. જો કે, ત્યારબાદ હવે 25 મે બાદ સ્થાનિક ઉડાન શરૂ કરવામાં આવી ત્યારબાદ પ્રવાસીઓને રાહત મળી.
કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ સર્વિસ પરનો પ્રતિબંધ 31 જુલાઇ સુધી વધારવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ અંગે જાહેરનામું બહાર પાડીને જાણ કરી હતી. જો કે, આ સાથે ડીજીસીએએ આગામી દિવસોમાં પસંદગીના આંતરરાષ્ટ્રીય રૂટ પર એરલાઇન્સની રજૂઆતના સંકેત પણ આપ્યા છે.