લદ્દાખમાં ચાદર ટ્રેકમાં 107 પર્યટકો ફસાયા હતા. જેમને ભારતીય સેના અને સ્થાનિક રેસ્ક્યૂ ટીમના સંયુક્ત અભિયાનથી બચાવી લેવાયા છે. જેમાં 9 વિદેશી નાગરિકો પણ સામેલ છે. ચાદર ટ્રેક પર બરફની ચાદર તૂટી જવાથી 107 જેટલા ટ્રેકર્સ નેરકમાં ફસાયા હતા. આ વાતની જાણ સ્થાનિક પ્રશાસનને થતા તેમને પર્યટકોને બચાવવાની તજવીજ શરૂ કરી હતી. આ ઉપરાંત તમામ લોકોને સેનાના હેલિકોપ્ટરથી મદદથી લેહની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ચાદર ટ્રેકમાં ફસાયા હતા પર્યટક
હેલિકોપ્ટર દ્વારા 107 લોકોનું કરાયું રેસ્ક્યૂ
6 લોકો ગંભીર રીતે બિમાર
બરફની ચાદર તૂટી જવાના કારણે છ જેટલા લોકો ગંભીર રીતે બીમાર છે. તંત્ર દ્વારા ટ્રેકર્સોને બચાવવા માટે ફાયર અને ફ્યૂરી ફોર્સની પણ મદદ લેવામાં આવી હતી. લદ્દાખના જાંસ્કારની ખીણમાં આવેલો ચાદર ટ્રેક લોકો આકર્ષણનું કેન્દ્ર હોવાનું હોવાથી લોકો મોટી સંખ્યામાં ત્યાં ફરવા માટે જાય છે. ચાદર ટ્રેક કોઈ રસ્તો નથી પણ તે એક નદી છે પરંતુ શિયાળાની સીઝનમાં નદીમાં રહેલુ પાણી બરફ બની જાય છે અને જોનાર લોકોએ એવું જ લાગે છે કે, પહાડ પર બરફની ચાદર પાથરવામાં આવી છે. તેથી આ ટ્રેકને ચાદર ટ્રેક નામ આપવામાં આવ્યું છે. શિયાળામાં નદીનું પાણીનું થીજીને બરફ બનતું હોવાથી લોકો તેનો ઉપયોગ રસ્તા તરીકે કરે છે.
#SavingLives: IAF helicopters successfully airlifted 9 foreign nationals (02 French & 07 Chinese) with other stranded trekkers today afternoon. An unwell woman passenger from Ladakh was provided required medical care on ground & during flight by IAF medical personnel. pic.twitter.com/cB5JX4ygHz
ભારતીય વાયુસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે હેલિકોપ્ટરોએ છેલ્લા 2 દિવસોમાં 107 લોકોને બચાવ્યા છે. આ સાથે કહેવાયું છે કે ભારતીય વાયુસેના બચાવ અભિયાન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી દરેક ફસાયેલા ટ્રેકર્સ, ગાઈડ અને પોર્ટ્સને સુરક્ષિત બહાર કાઢવામાં ન આવે.