વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનું શ્રીનગરથી બહાર સુરક્ષાને કારણોસર ટ્રાન્સફર કરવામાં આવી રહેલ છે. તેઓનું શ્રીનગરમાં મેડિકલ ટેસ્ટ થઇ રહ્યું હતું. અભિનંદનને જૈશ-એ-મોહમ્મદથી ધમકી મળી હતી.
ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનું સુરક્ષાને કારણોસર શ્રીનગર ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ છે. તેઓને હાલમાં એક પીસ સ્ટેશન ખાતે મોકલી દેવામાં આવેલ છે. વાયુસેના સાથે જોડાયેલ સૂત્રો અનુસાર, વિંગ કમાન્ડર અભિનંદનનાં ટ્રાન્સફરનો ઓર્ડર અધિકારીઓને મોકલી દેવામાં આવેલ છે. તેઓને હવે શ્રીનગરથી બહાર ક્યાંક તૈનાત કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનંદનની નવી પોસ્ટિંગ વેસ્ટર્ન સેક્ટરમાં કરવામાં આવી રહેલ છે.
અભિનંદન મેડિકલ ટેસ્ટથી પસાર થઇ રહ્યાં હતાં. મેડિકલ ટેસ્ટ બાદ જ તેઓને ફાઇટર પ્લેન ઉડાડવાની પરવાનગી આપવામાં આવશે. વિંગ કમાન્ડર અભિનંદનને જૈશ-એ-મોહમ્મદથી ધમકીઓ મળી રહી હતી. 27 ફેબ્રુઆરીનાં રોજ ભારતીય હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની લડાકુ વિમાનોને ખદેડવા દરમ્યાન હવામાં થયેલી લડાઇ દરમ્યાન તેઓનું મિગ-21 બાઇસન પડી ગયું હતું કે જ્યાર બાદ પાકિસ્તાની સેનાએ તેઓને પકડી લીધાં હતાં.
Indian Air Force transfers Wing Commander Abhinandan Varthaman out of the Srinagar airbase amid concerns over his security in Kashmir valley. Officer posted to an important airbase in the Western sector. (File pic) pic.twitter.com/RWnlPfR4jV
પાકિસ્તાનમાં ઇજેક્ટ થતાં પહેલાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને પાકિસ્તાનનાં એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. વૈશ્વિક દબાવ બાદ પાકિસ્તાને વિંગ કમાન્ડરને 1 માર્ચની રાત્રીએ મુક્ત કર્યા હતાં. ત્યાર બાદથી અભિનંદન વર્તમાન જૈશનાં નિશાન પર છે.
ઉલ્લેખનીય છે કે અભિનંદને અવકાશ અવધિ દરમ્યાન ચેન્નઇ સ્થિત પોતાનાં ઘર જવાને બદલે શ્રીનગરમાં પોતાનાં સ્કાડ્રનમાં રોકાવાનો નિર્ણય કર્યો હતો. વિંગ કમાન્ડર અભિનંદન તે સમયે અવકાશ પર ગયાં હતાં જ્યાં સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનને તેઓનાં પરત થયાં બાદ તેઓ પાસેથી પૂરી ઘટનાની જાણકારી લેવાંની બે સપ્તાહની લાંબી કવાયદ પૂર્ણ કરી હતી.