ઉત્તરપ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર હવે વાયુસેનાના પ્લેને લેન્ડ થઈ શકશે. જેમા માટે 3.2 કિમીનો લાંબો રન વે પણ તૈયાર કરવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશના એક્સપ્રેસ-વે પર ઉતરશે વાયુસેનાના વિમાન
પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ઉતરશે એરફોર્સના વિમાન
ટ્રાયલ માટે ત્રણ વિમાનો પહોચ્યા એક્સપ્રેસ-વે પર
PM મોદી ઉત્તરપ્રદેશને મોટી ભેટ આફવા જઈ રહ્યા છે. જેમા 16 નવેમ્બરે યોગી સરકારની મહત્વકાંક્ષી ટયોજના પૂર્વાંચલ એક્સપ્રેસ વેની સોગાત તેઓ રાજ્યને આપવાના છે. આ કાર્યક્રમ પહેલાજ આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર બનેલ એર સ્ટ્રિપ પર એરફોર્સના 3 લડાકુ વિમાન લેન્ડ થયા હતા.
3.2 કિમીનો લાંબો રન વે બનાવાયો
એવું કહેવામાં આવવી રહ્યું છે કે ટચ એંડ ગો ઓપરેશન દ્વારા આ વિમાનો લેન્ડ થતાજ ટેકઓફ પણ થઈ શકશે. એક્સપ્રેસ વે પર સુલ્તાનપુરમાં આવેલ કુરેભાર ગામ નજીક 3.2 કિમીનો લાંબો રન વે બનાવામાં આવ્યો છે. જ્યા લડાકૂ વિમોનોની રિહર્સલ યથાવત છે.
340 કિમી લાંબો એક્સપ્રેસ-વે
આપને જણાવી દઈએ કે 340 કિલોમીટર આ એક્સપ્રેસ-વે પૂર્વ અને પશ્ચિમ યુપીને જોડશે. લખનૌના ચાંદ સરાય ગામથી આ શરૂ થશે જ્યાથી તે બારાબંક, અમેઠી, અયોધ્યા, સુલ્તાનપુર, આંબેડકરનગર, આદમગઠ તથા ગાઝીપુર થઈને નિકળશે. સરકારનો દાવો છે કે આ એક્સપ્રેસ-વે ના કારણે ઉદ્યોગંધંધામાં પણ પ્રગતી થશે સાથેજ સ્થાનિકો લોકોને રોજગારી પણ મલરી રહેશે.
દિલ્હીથી બિહારની મુસફારી પણ સરળ થશે
ઉલ્લેખનીય છે કે આ એક્સપ્રેસ વે ના કારણે માત્ર યુપી નહી પરંતુ બિહારના લોકોને પણ ફાયદો થશે. હાઈવે બન્યા બાદ દિલ્હીથી બિહાર સુધીની મુસાફરી પણ સરળ થઈ જશે. કારણકે દિલ્હી યમુના એક્સપ્રેસ વે દ્વારા આગરા- લખનૌ એક્સપ્રેસવેનો રસ્તો પૂરો થશે. બાદમાં લખનૌથી પૂર્વાચલ એક્સપ્રેસ વે દ્વારા ગાઝીપુર સરળતાથી પહોચી શકાશે. કારણકે ગાઝીપુરમાં બિહાર બોર્ડરમી સીમા માત્ર 20 કિમી દૂર છે.