હવાઇ યાત્રા કરવી હવે બસ અને ટ્રેન કરતાં પણ સસ્તી થઇ ગઇ છે. સોમવારથી તમે ફક્ત 500 રૂપિયામાં હવાઇ યાત્રા કરવા માટે ટિકિટ બુક કરાવી શકો છો. એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં આ અત્યાર સુધીની સૌથી સસ્તી ફ્લાઇટ ટિકિટ છે.
એર એશિયા ઇન્ડિયા આ આકર્ષક ઑફર આપી રહ્યું છે. રવિવારે કંપનીએ આ ઑફરની ઘોષણા કરતાં જણાવ્યું કે સોમવારથી આ ઑફરની શરૂઆત કરવામાં આવશે.
એક અહેવાલ અનુસાર આ ઑફર હેઠળ તમે દેશમાં 21 ડેસ્ટિનેશનની યાત્રા કરવા માટે ટિકિટ બુક કરાવી શકો છો. એરલાઇને જણાવ્યું કે ''પેસેન્જર વન-વે ટ્રાવેલ માટે ટિકિટ બુક કરાવી શકે છે તેના માટે તેઓ ઓછામાં ઓછાં 500 રૂપિયાની ટિકિટ બુક કરાવી શકે છે. 500 ઉપરાંત અન્ય સ્થળે જવા માટે તમે 1000 અને 1500 રૂપિયામાં પણ ટિકિટ બુક કરાવી શકો છો.''
એરલાઇને જણાવ્યું કે આ ઑફર તેમની તમામ ફલાઇટ્સ પર લાગુ થશે. આ ઑફર હેઠળ તમે 17 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધીમાં ટિકિટ બુક કરાવી શકશો. આ દરમિયાન તમે 17 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2019 વચ્ચે યાત્રા કરી શકશો.
એર એશિયા માર્કેટિંગ હેડ રાજકુમાર પ્રનાથમને જણાવ્યું કે ''અમારા પ્રમોશન ઑફર દ્વારા લોકોને હવાઇ યાત્રા કરવાનો આનંદ અમે આપવા માંગીએ છીએ. તે પણ સસ્તા દરે.''
આ ઑફર હેઠળ તમે અમૃતસર બાગડોગરા બેંગલોર ભુવનેશ્વર ચંદીગઢ ચેન્નઇ ગુવાહાટી હૈદરાબાદ ઇમ્ફાલ ઇંદોર કલકત્તા કોચ્ચી નાગપુર નવી દિલ્હી પણજી પુણે રાંચી શ્રીનગર સુરત અને વિશાખાપટ્ટનમની યાત્રા કરી શકશો.
જો કે સોમવારે આ અહેવાલ લખાયા સુધી આ ઑફર અંગે એરલાઇનની વેબસાઇટ પર કોઇ જાણકારી આપવામાં આવી નથી.