લખનઉ એરપોર્ટ પર રવિવારે મોટી દુર્ઘટના ટળી હતી. એરએશિયાની લખનઉ-કોલકાતા ફ્લાઈટ રનવે પરથી જેવી ઉડી કે તરત એક પક્ષી તેના બીજા એન્જિન સાથે અથડાયું હતું. પાયલટે ઈમરજન્સી બ્રેક લગાવીને પ્લેનને રોકી દીધું હતું જો પાયલટ બ્રેક દબાવવામાં થોડા મોડા પડ્યાં હોત તો મોટી જાનહાની થઈ હોત કારણ કે દુર્ઘટના બની તે સમયે વિમાનમાં 180 પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ મુસાફરોને એરપોર્ટ પર પાછા મોકલી દેવામાં આવ્યા છે. તેમને બીજા વિમાનમાં મોકલવાની તૈયારી છે.
Air Asia Lucknow-Kolkata flight makes an emergency landing at Lucknow airport after bird hit. Further details awaited. pic.twitter.com/OG5679l6tj
પાયલટે ઈમરજન્સી બ્રેક લગાવીને વિમાનને બચાવી લીધું
વિમાનમાં સવાર મુસાફરોએ સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યા છે. ફ્લાઇટ I5-319 કોલકતા જવા માટે લખનઉ એરપોર્ટના રનવે પર હતી. ટેક-ઓફની થોડી સેકંડ પહેલાં, એક પક્ષી ટકરાયું જેને કારણે વિમાનમાં ધ્રુજારી આવી હતી પરંતુ પાયલટે સમયસૂચકતા દાખવીને બ્રેક લગાવી દેતા વિમાન અટકી ગયું હતું. એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાનમાં ક્રૂ સહિત 180થી વધુ મુસાફરો સવાર હતા. પક્ષીઓની ટક્કરને કારણે એન્જિનમાં આગ લાગવાનું જોખમ રહેલું છે. એન્જિન કામ કરવાનું બંધ કરી દે છે.
"Flight i5-319, scheduled to operate from Lucknow to Kolkata, encountered a bird-strike during the take-off roll. As a result, the aircraft returned to bay and was grounded for detailed inspection": AIX Connect spokesperson
મુસાફરોને બીજા વિમાનમાં ગંતવ્ય સ્થાને મોકલાશે
વિમાન રન-વેના બીજા છેડા પાસે જ અટકી ગયું. પાયલોટે તરત જ તેની જાણ એર ટ્રાફિક કંટ્રોલ ટાવરને કરી હતી. આ પછી ગ્રાઉન્ડ ક્રૂએ બસ મોકલીને મુસાફરોને પાછા બોલાવ્યા હતા. આ સાથે જ વિમાનને વાહનથી પાછળ ધકેલીને એપ્રોનમાં લાવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાન ટેક ઓફ કરવાની સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં, ફ્લાઇટ દ્વારા જવા માટે તૈયાર મુસાફરોને બીજા વિમાન દ્વારા મોકલવામાં આવશે.