અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા મંદિરના હકમાં ગયા બાદ રવિવારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે આ મામલે બેઠક કરી. ત્યાર બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર આપવામાં આવશે અને તેમને કોઇ બીજી જગ્યાએ મસ્જિદ મંજૂર નથી.
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદો પર AIMPLBની બેઠકમાં નિર્ણય
બોર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં માન્યું છે કે વિવાદિત જમીન પર નમાઝ પઢવામાં આવતી હતી અને ગુંબજ નીચે જન્મસ્થાન હોવાનું કોઇ પ્રમાણ નથી. તેમણે કહ્યું કે કેટલાક મુદ્દાઓ પર ચુકાદો સમજ બહાર છે. બોર્ડે કહ્યું કે અમે વિવાદિત જમીન માટે લડાઇ લડી હતી, ત્યાં જમીન જોઇએ. કોઇ બીજી જમીન માટે અમે લડાઇ નથી લડી.
અયોધ્યા મુદ્દે ઓલ ઇન્ડિયા પર્સનલ લૉ બોર્ડની બેઠક શરુ થઇ ગયી છે. આ બેઠકમાં મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી પાંચ એકર જમીન લેવી કે નહિ તેના પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ આ મામલે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેના પર પણ ચર્ચા કરવામાં આવશે.
Syed Qasim Rasool Ilyas, All India Muslim Personal Law Board (AIMPLB): The Board has decided to file a review petition regarding Supreme Court's verdict on Ayodhya case. pic.twitter.com/fV6M2Lifhc
અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદોને લઇને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક મળી હતી. લખનઉમાં મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં અસદુદ્દીન ઓવૈસી ભાગ લેવા માટે પહોંચ્યા હતા. બેઠકમાં SCના ચુકાદા પર રિવ્યુ પિટિશન મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા મુસ્લિમ પક્ષકારોની બેઠકમાં પિટિશનનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં 4 પક્ષકારોએ રિવ્યુ પિટિશન મુદ્દે સહમતી દર્શાવી હતી.
જ્યારે એક પક્ષકાર ઈકબાલ અંસારીએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આ મામલે અંસારીએ પ્રતિક્રિયા આપી છે કે, AIMPLB દેશમાં માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમાજના હિતમાં નિર્ણય કર્યો છે.
આ બેઠકમાં મૌલાના મહમૂદ મદની, અરશદ મદન, મૌલાના જલાઉદ્દીન ઉમરી, મુસ્લિમ લીગના સાંસદ બશીર, ખાલીદ રશીદ ફિરંગી મહલી, અસદુદ્દીન ઓવૈસી, જફરયાબ જિલાની, મૌલાના રહમાની, વલી રહમાની, ખાલીદ સૈફુલા રહમાની અને રાબે હસન નદવી હાજર રહ્યા છે.
આખરે વિવાદની વચ્ચે મુમતાજ કોલેજનું સ્થાન નક્કી કરવામાં આવ્યું
ખબર છે કે મંદિર મુદ્દા પર ઉદાર વલણ ધરાવતાં નદવા કોલેજનાં પ્રોફેસર સલમાન નદવી જેવા લોકોના કારણે જ બેઠકનું સ્થાન બદલવામાં આવ્યું છે. અને આખરે વિવાદની વચ્ચે મુમતાજ કોલેજનું સ્થાન નક્કી કરવામાં આવ્યું. ઓવૈસીએ કટ્ટર વલણ અપનાવ્યું છે અને બીજી તરફ પ્રોફેસર નદવી જેવાં લોકો ઉદાર વલણ અપનાવી રહ્યાં છે. જફરયાબ જીલાનીએ પહેલાં જ કહ્યું હતું કે તેઓ આ મામલે પુનર્વિચાર અરજી કરવાનાં પક્ષમાં છે.
પુનર્વિચાર અરજી દાખલ કરવા માટે મુસ્લિમ પક્ષકારો વચ્ચે બેઠક
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુનર્વિચાર અરજી દાખલ કરવા માટે મુસ્લિમ પક્ષકારો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં આજે એલાન કરવામાં આવ્યું છે કે તેઓ ચુકાદા અંગે રિવ્યૂ પિટીશન દાખલ કરશે. જોકે સામે એમ પણ આવ્યું છે કે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં એ ફાંટા પડી ગયા છે, અમુક સદસ્યનું માનીએ તો ફરીથી અરજી કરવી જરુરી છે જ્યારે ઘણા એવા છે જે માને છે કે જે પણ ચુકાદો આવ્યો છે તેઓ સ્વીકાર કરવો જોઈએ. આમ બોર્ડમાં એકતા દેખાતી નથી.
યુપી સરકારના મંત્રીએ સવાલ ઉઠાવ્યા
આને ધ્યાનમાં રાખીને બોર્ડની બેઠકનું સ્થાન પણ બદલી દેવામાં આવ્યું. આ બેઠક પહેલાં નદવા કોલેજમાં થવાની હતી પરંતુ બધા સદસ્ય એકઠા થયા તે સમયે જ અચાનક બેઠકની જગ્યા બદલી દેવામાં આવી. હવે મુમતાજ પીજી કોલેજમાં બેઠક કરવામાં આવી રહી છે. જેના પર યુપી સરકારના મંત્રીએ સવાલ ઉઠાવ્યા છે. બેઠકનાં સ્થાન બદલવાના કારણે એક વાત તો સ્પષ્ટ છે કે બોર્ડનાં સભ્યો આ મામલે એક નથી. અને તે જ કારણે કોઈ વિવાદ ન થાય તે માટે જ બેઠકનું સ્થાન બદલી મુમતાજ કોલેજમાં કરવામાં આવી.
નદવા કોલેજમાં રજા નથી હોતી જેથી બાળકોની ભીડથી બચવા માટે સ્થાન બદલવામાં આવ્યું
બોર્ડમાં એટલાં મતભેદ છે કે બેઠકમાં હોબાળો પણ થઇ શકે છે. સૌથી વધારે વિરોધ ઉદાર વલણ રાખવાવાળા સભ્યો કરી શકે છે કારણ કે ઓવૈસી આ બેઠકમાં ભાગ લે તેવું તે ઇચ્છતાં ન હતાં. જોકે બોર્ડના સદસ્ય ખાલીદ રશીદ ઉર્ફે ફિરંગી મહેલીએ કહ્યું કે નદવા કોલેજમાં રજા નથી હોતી જેથી બાળકોની ભીડથી બચવા માટે સ્થાન બદલવામાં આવ્યું છે. અને આ સિવાય તેમણે સ્થાન બદલવા પાછળ કોઈ જ વિવાદ હોવાનું માન્યું નથી.