AIMPLBના પ્રવક્તાએ તાલિબાનને સમર્થન આપતા કહ્યું તેમની હિંમતને સલામ છે તેમણે સૌથી મજબૂત ફૌજ બનાવી, પ્રવક્તાના આ વિવાદીત નિવેદનને કારણે લોકોમાં રોષનો માહોલે ફેલાયો છે.
AIMPLBના સાંસદે તાલિબાનને આપ્યું સમર્થન
ક્હ્યુ તેમણે સૌથી મજબૂત ફોન બનાવી તેમની હિંમતને સલામ
તાલિબાનને સમર્થન આપતા લોકોમાં રોષનો માહોલ
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો મેળવી લીધા બાદ સમગ્ર વિશ્વની નજર હાલ અફઘાનિસ્તાનની સ્થિતી પર છે. જોકે આ પરિસ્થિતીમાં ઘણા લોકો એવા પણ છે કે જેઓ તાલિબાનને સમર્થન આપી રહ્યા છે. સપા સાંસદ શફીકપર્રહમાન બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ પણ તાલિબાનને સમર્થન આપ્યું છે.
મૌલાના સામે લોકોમાં રોષનો માહોલ
મૌલાના સજ્જાદ નોમાનીએ તાલિબાનનો હરકતોને સલામ આપતા કહ્યું કે તેમણે સૌથી મજબૂત ફૌજ બનાવી છે. તેમના નિવેદન બાદ તેઓ વિવાદોમાં ઘેરાયા છે. સાથેજ લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે.
તાલિબાનને સલામ આપતા વિવાદ વકર્યો
મૌલાના સજ્જાદ નૌમાનીએ એવું કહ્યુ કાબુલમાં જ્યારે તેઓ ઘુસ્યા ત્યારે સમગ્ર વિશ્વએ જોયું કે કેવી રીતે તેમણે કબ્જો મેળવ્યો. તેમનામાં જરા પણ ઘમંડ ન હતો અને તેઓ કાબુલમાં જ્યારે ગયા ત્યારે તેમણે કાબુલની જમીનને ચૂમી હતી. વધુમાં મૌલાનાએ તાલિબાનને સમર્થન આપતા એવું પણ કહ્યું કે તમને દૂર બેઠેલો મુસલમાન તમારી હિંમત અને હોસલાને સલામ કરે છે.
અગાઉ સપા સાંસદે આપ્યું હતું સમર્થન
અગાઉ સપા સાંસદ શફીકુર્રહમાને તાલિબાનને સમર્થન આપતા કહ્યું હતું. જે રીતે અંગ્રેજો આપણા દેશમાં રાજ કરતા હતા અને તેમની સામે આપણે સંઘર્ષ કરીને દેશને આઝાદ કરાવ્યો તેજ રીતે તાલિબાને અફઘાનિસ્તાનને આઝાદ કરાવ્યું છે. તાલિબાનના વખાણ કરતા તેમણે કહ્યું કે તેમણે અમેરિકા અને રશિયા જેવા દેશોને પણ તેમના દેશમાં રોકોવા ન દીધા.
I didn't make any such statement (comparing Taliban with Indian freedom fighters). My statement has been misinterpreted. I'm a citizen of India, not of #Afghanistan, so I've no business with what is happening there. I support my govt's policies: SP MP Shafiqur Rahman Barq pic.twitter.com/gF9bqiuoDh
ઉલ્લેખનીય છે કે પોલીસે હાલ સપાસ સાંસદ સામે ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ તાલિબાનોએ સામે અફઘાનિસ્તાનની સરકાર પડી ભાંગી અને તેમણે તાલિબાને દેશ પર કબ્જો મેળવી લીધો છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેના હટી ત્યારબાદથી ત્યા હિંસા થાવનું શરૂ થયું. ત્યારે આવા સમયે હવે અફઘાનિ નાગરીકો બીદા દેશો સાથે મદદ માગી રહ્યા છે.
નિવેદનનું અર્થઘટન
ઉલ્લેખનીય છે કે સપા સાંસદે સામે ગુનો દાખલ થયા બાદ તેણે એવું કહ્યું કે મારા નિવેદનો અર્થઘટન કરવામાં આવ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે હુ ભારતનો નાગરીકે છું અફઘાનિસ્તાનનો નથી. સાથેજ તેણે એવું પણ કહ્યું કે હુ મારી સરકારની નીતિઓને ટેકો આપું છું