ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (All India Muslim Persona Law Board) દ્વારા મસ્જિદમાં નમાજ પઢવાની અનુમતિ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીના જવાબમાં જાણકારી આપી છે.
બે મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી
અરજીના જવાબમાં ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે આપી જાણકારી
મસ્જિદમાં મહિલાઓના પ્રવેશની અનુમતિ છે: AIMPLB
ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવા માટેની અનુમતિ અપાઈ દેવાઈ છે અને આ સંબંધિત કોઈ ફતવો જાહેર કરે છે તો તેના પર ધ્યાન ન આપો.
બોર્ડે ઉચ્ચ ન્યાયાલયમાં દાખલ કરેલી એક સોગંદનામામાં કહ્યું કે મુસ્લિમ મહિલાઓ મસ્જિદમાં જવા માટે સ્વતંત્ર છે. જો કે આમ કરવા માટે તેઓ બાધ્ય નથી. મહિલાઓ પાસે એ વિકલ્પ પણ છે કે તેઓ ઘરમાં પણ નમાજ કરી શકે છે. તેની માટે જરૂરી નથી કોઈ સમૂહ કે મસ્જિદમાં જવું જ પડે.
All India Muslim Personal Law Board submits an affidavit in the Supreme Court on a plea seeking direction to allow women to enter a mosque to offer prayers; says, entry of women in a mosque for offering prayers is permitted. pic.twitter.com/Q36tbb4weV
AIMPLBની બે મુસ્લિમ મહિલાઓ દ્વારા મસ્જિદમાં નમાજ પઢવા માટેની અનુમતિ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એક અરજીના જવાબમાં આ જાણકારી અપાઈ હતી.
મામલમાં અદાલતે હસ્તક્ષેપનો વિરોધ કરતા AIMPLBએ કહ્યું કે મસ્જિદોનું મેનેજમેન્ટ ખાનગી રીતે કરવામાં આવે છે અને કોર્ટ કોઈ ધાર્મિક સ્થાનની વિસ્તૃત મેનેજમેન્ટના ક્ષેત્રમાં નથી જઈ શકતી. આ ઉપરાંત કહેવાયું કે અદાલત માત્ર સલાહ આપી શકે છે, કોઈ પ્રકારના દિશાનિર્દેશ જાહેર ન કરી શકે.
કોર્ટે જાહેર કરી હતી નોટિસ
ગત વર્ષે ઑક્ટોબરમાં કોર્ટે યાસમીન ઝુબેર અહમદ પીરઝાદે અને ઝુબેર અહમદ નઝીર પીરઝાદેની અરજી પર નોટિસ જાહેર કરી હતી. જેમાં કહ્યું હતું દેશભરની મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઆોના પ્રવેશ પર પ્રતિબંધ અસંવૈધાનિક છે અને જીવન, સમાનતા અને લૈગિંક ન્યાયના મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે.