અસદુદ્દિન ઓવૈસીએ હૈદરાબાદના કાર્યક્રમમાં ફરી એકવાર મોદી સામે પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ કહ્યું કે, જો કોઈ એમ સમજી રહ્યું હોય કે હિંદુસ્તાનના વઝીર-એ-આઝમ 300 સીટ જીતીને હિંદુસ્તાન પર મનમાની કરશે, તો એ શક્ય નહિ બને. સંવિધાનની વાત કરીને વઝીર-એ-આઝમને કહેવા માંગુ છું કે ઔવૈસી તમારી સાથે લડશે, પીડિતોના ન્યાય માટે લડશે. હિંદુસ્તાનને આબાદ રાખીશું, અમે અહીં ભાડુઆત નથી, સરખા ભાગના ભાગીદાર છીએ.
આ વાત પર કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમે હંમેશા સેવકના રૂપમાં કામ કર્યું છે. બધા જાણે છે કે, મોદીજી ક્યારે પણ શાસક બન્યા નથી. કેટલાક લોકોને પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે કારણ કે મોદી સરકારના કામકાજથી તેમની વોટની દુકાનો બંધ થઈ ચુકી છે.
એનડીએના નેતા ચૂંટાયા બાદ પ્રધાનમંત્રી મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં આ નિવેદન આપ્યું હતું. તેમના ભાષણમાં તેમણે નવો નારો આપ્યો હતો- સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ. આમ ઓવૈશીએ પોતાના 75 મિનિટના ભાષણમાં મોદી પર વાર પ્રહાર કર્યા હતા.