હું કહેવા માંગુ છું કે જે દિવસે હું મારુ મોત થશે તે દિવસે મને ભારતની ધરતીમાં દફનાવજો -અસદુદ્દીન ઓવૈસી
AIMIM પ્રમુખનું લોકસભામાં નિવેદન
' મને ઝેડ સિક્યુરિટી નથી જોઇતી'
' ગોળી વાગી જાય તે કબૂલ છે '
AIMIM પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશના હાપુડમાં તેઓ પર થયેલા હુમલાને લઈને લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે સરકારને ચેતવણી આપી હતી કે દેશનો એક વર્ગ કટ્ટરપંથી તરફ આગળ વધી રહ્યો છે. આટલું જ નહીં, તેણે કેન્દ્ર દ્વારા આપવામાં આવતી Z સુરક્ષા લેવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે જો ગોળી વાગી જશે તો તે કબૂલ છે, પરંતુ સુરક્ષા વચ્ચે ગૂંગળામણમાં જીવશો નહીં.
ઓવૈસીએ સરકારને શું કરી અપીલ?
ઓવૈસીએ લોકસભામાં કહ્યું, "હું સરકારને કહેવા માંગુ છું કે આ પ્રકારની ઘટનાથી તમને નુકસાન થશે. હું લોકસભાના સ્પીકરના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે જેમણે આ કટ્ટરપંથીકરણ કર્યું છે. તેમના પર આતંકવાદ વિરોધી UAPA શા માટે નથી લગાવતા. ક્રિકેટ મેચ પર જો કોઇ પાકિસ્તાનના વખાણ કરે તો તેના પર UAPA લાદવામાં આવે છે. પરંતુ જે વ્યક્તિ સાંસદ પર ગોળીબાર કરે છે તે UAPA નથી લાગતું,
AIMIM પ્રમુખે વધુમાં કહ્યું કે, "ભારતની સંપત્તિ પ્રેમ છે. આપણે એ ભારત છીએ જે પ્રેમ પર આધારિત છે. શું તમે સંપત્તિના ભારતનું ઉદાહરણ આપશો કે પ્રેમના ભારતનું. જો તમે પ્રેમના ભારતનું ઉદાહરણ આપો છો, તો હું વચન આપું છું કે હું તમારી સાથે છું."
मुझे सिक्योरिटी नहीं चाहिए, मैं सबकी सुरक्षा चाहता हूं। मैं घुट-घुट कर नही जीना चाहता, मैं आज़ाद रहना चाहता हूं। https://t.co/AMvlisa0Sj
ઓવૈસીએ કહ્યું, "હરિદ્વારના રાયપુરમાં મારા વિશે જે કંઈ કહેવામાં આવ્યું છે તેના પર આઈબીનો રિપોર્ટ છે, તમે તેને કેમ છુપાવી રહ્યા છો. એક દિવસ મારે પણ મરવાનું છે. હું કહેવા માંગુ છું કે જે દિવસે મારુ મોત થશે તે દિવસે મને ભારતની ધરતીમાં દફનાવામાં આવે ." મને જો ગોળી મારી દેવામાં આવે તો એ કબૂલ છે પરંતુ હું સુરક્ષા વચ્ચે ગૂંગળામણ જેવું જીવન જીવવા માંગતો નથી. મને લાગે છે કે જો ભારતના ગરીબોને સુરક્ષા મળશે, તો તે મારી પણ સુરક્ષા છે."
'પીએમની સુરક્ષામાં ગરબડ થઈ હતી તો મે અવાજ ઉઠાવ્યો હતો'
આ નફરતનો અંત લાવો. મને Z કેટેગરીની સુરક્ષા નથી જોઈતી, મને A કેટેગરીનો શહેરી બનાવો, જેથી આપણું જીવન વધુ સારું બને. જ્યારે દેશના વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક થઇ હતી ત્યારે મેં અવાજ ઉઠાવ્યો હતો, સેક્યુલર પાર્ટીના નેતાઓએ કહ્યું કે તમે અવાજ કેમ ઉઠાવ્યો. મેં કહ્યું કે આ દેશના વડાપ્રધાનના જીવની વાત છે. પરંતુ આજે સાંસદને ગોળી મારવામાં આવી રહી છે. હું સરકારને અપીલ કરુ છું કે નફરતને રોકે.