નાગરિકતા સંશોધન કાયદો (CAA) ની વિરુદ્ધ વિરોધની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. નાગરિકતા કાયદાની વિરુદ્ધ પ્રદર્શનને લઇને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા વારિસ પઠાણે ખુબ જ વિવાદિત નિવેદન આવ્યું છે.
પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે કહ્યું, અમે ઇટનો જવાબ પથ્થરથી આપવાનું શીખી લીધું છે
વિવાદ વધતા વારિસ પઠાણે કરી સ્પષ્ટતા, કહ્યું- દેશ અને કોઇ ધર્મ વિરુદ્ધ કંઇપણ નથી કહ્યું
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના નેતા વારિસ પઠાણે કર્ણાટકના ગુલબર્ગામાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે અમે 15 કરોડ છીએ અને 100 કરોડ લોકો પર ભારી છીએ.
પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે કહ્યું, 'અમે ઇટનો જવાબ પથ્થરથી આપવાનું શીખી લીધું છે. પરંતુ આપણે એકઠ્ઠા થઇને ચાલવુ પડશે. આઝાદી લેવી પડશે અને જે ચીજ માંગવાથી નથી મળતી, તેને છીનવી લેવામાં આવે છે. આપણાને કહેવામાં આવે છે કે આપણે આપણી માતા અને બહેનોને આગળ કરી દીધી છે. અમે કહીએ છીએ કે હાલ તો માત્ર શેરનીયા બહાર નીકળી છે તો આપના પસીના છૂટી ગયા. જો અમે બધા સાથે આવ્યા, તો વિચારી લો શું થશે. અમે 15 કરોડ જ 100 કરોડ લોકો પર ભારી છીએ. આ વાત યાદ રાખી લેજો.'
#WATCH AIMIM leader Waris Pathan: ...They tell us that we've kept our women in the front - only the lionesses have come out&you're already sweating. You can understand what would happen if all of us come together. 15 cr hain magar 100 ke upar bhaari hain, ye yaad rakh lena.(15.2) pic.twitter.com/KO8kqHm6Kg
તેને લઇને જ્યારે વિવાદ વધ્યો તો AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે સ્પષ્ટતા કરી પરંતુ માફી માંગવા પર ઇનકાર કર્યો. તેઓએ કહ્યું કે, મેં દેશ અને કોઇ ધર્મ વિરુદ્ધ કંઇપણ નથી કહ્યું. સીએએની વિરુદ્ધ દરેક ધર્મના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. બીજેપીના નેતા તો ગોળી મારવાની વાત કહે છે.
તેઓએ કહ્યું કે બીજેપી દેશના લોકોને અલગ કરવા ઇચ્છે છે. લોકોએ સમજવું જરૂરી છે. હું મારા નિવેદન પર માફી નહીં માંગુ.