ગુજરાત AIMIMના પ્રમુખનું ચૂંટણીલક્ષી નિવેદન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022ના અંતમાં થવાની છે પરંતુ રાજ્યમાં રાજકીય પારો અત્યારથી ચઢી ગયો છે. એક બાજુ આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પહેલા મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે અસદુદ્દીન ઓવૈસી પણ આ વખતે ગુજરાતમાં મોટો દાવ કરવા માટે તૈયાર હોવાનું દેખાઈ રહ્યું છે.
કોંગ્રેસના 10થી 12 જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં: કાબરીવાલા
કોંગ્રેસના કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીના સંપર્કમાં હોવાની અટકળો વચ્ચે ગુજરાત AIMIMના પ્રમુખ શાબીર કાબલીવાલાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના 10થી 12 જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે તથા કોંગ્રેસના અનેક મનપાના કોર્પોરેટર અમારા સંપર્કમાં છે. કાબરીવાલાએ કહ્યું કે અમે સર્વે કરાવી રહ્યા છીએ જ્યાં જીતી શકાશે ત્યાં લડીશું અને અત્યાર સુધીમાં 70થી 75 સીટો પર સર્વે કર્યો છે.
કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીના સંપર્કમાં
કોંગ્રેસમાં સતત અનિર્ણાયકતાને લઈને સીનિયર નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. પહેલા તો કોંગ્રેસને ભાજપ સામે પડકાર રહેતો હતો. પરંતુ આ વખતની ચૂંટણીમાં કોંગ્રસને આપ સામે પણ પડકારો મળી રહ્યા છે. ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો સતત આપના નેતાઓના સંપર્કમાં આવી રહ્યા છે. તેવી માહિતી સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે અસમંજસની પરિસ્થીતી છે. જેના કારણે નેતાઓમાં નારજગી જોવા મળી રહી છે.
આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી
જોકે આ બધા વચ્ચે એક વાતતો ચોક્કસ નક્કી છે, કે હાલ રાજ્યમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. જેથી આપના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના અમુક નેતા સામેથી આપનો સંપર્ક સાંધી રહ્યા છે.
કોંગ્રેસ નેતાઓ કારકિર્દી બચાવાના પ્રયાસમાં
ઉલ્લેખનીય છે કે 2022ની ચૂંટણીની તૈયારીઓ દરેક પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેથી કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પહેલા હવે પોતાની કારકિર્દી બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને પાર્ટીમાં અનિર્ણાયકતાને લઈને સિનિયર નેતાઓમાં નારજગી જોવા મળી રહી છે. જેથી હવે ગુજરાત કોંગ્રેસમાં ચિંતાના વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.