હરિયાણાના ગુરુગ્રામમાં દર મંગળવારે માંસની દુકાનો બંધ રાખવાના નિર્ણય પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.
ગુરુગ્રામમાં દર મંગળવારે માંસની દુકાનો બંધ રાખવાનો લેવાયો નિર્ણય
હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ આ મુદ્દે આપી ઉગ્ર પ્રતિક્રિયા
મંગળવાર માંસની દુકાનો બંધ, તો શુક્રવારે રાખો દારુની દુકાનો બંધ-ઓવૈસી
ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો કે બીજા લોકોને પોતની જિંદગીમા માથુ મારવાનો કોઈ અધિકાર નથી. તેનાથી કોઈની આસ્થા કેવી રીતે આહત થઈ શકે. તેમણે કહ્યું કે આ આધારે તો શુક્રવારે દારુની દુકાનો બંધ રાખવી જોઈએ. ઓવૈસીએ ટ્વિટ કરીને જણાવ્યું કે લોકો માંસ ખરીદી રહ્યાં છે, વેચી રહ્યાં છે અથવા તો ખાઈ રહ્યાં . તેઓ તમને આ ખાવા માટે મજબૂર તો નથી કરી રહ્યાંને. આ આધારે જોવા જઈએ તો શુક્રવારે દારુની દુકાનો પણ બંધ રાખવી જોઈએ. કરોડો ભારતીય માંસ ખાય છે. તેને એવું ન સમજો કે આ નાપાક છે.
ગુરુગ્રામમાં દર મંગળવારે માંસની દુકાનો બંધ રાખવાનો લેવાયો નિર્ણય
ઓવૈસીએ ગુરુગ્રામમાં મંગળવારે મીટની દુકાનો બંધ રાખવાના નિર્ણયની ખબરને રીટ્વિટ કરતા આ વિચારો વ્યક્ત કર્યાં હતા. હકીકતમાં ગુરુવારે ગુરુગ્રામ નગર નિગમે દર મંગળવારે માંસની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. અઠવાડિયામાં મીટની દુકાનો બંધ રાખવાનું સૂચન સૌથી પહેલા વોર્ડ નંબર 19 ના કોર્પોરેટર અશ્નીની શર્માએ આપ્યું હતું. ગુરુગ્રામ નગર નિગમની સામાન્ય બેઠકમાં મીટની દુકાનો બંધ રાખવાના મુદ્દે વ્યાપક ચર્ચા થઈ હતી.