અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, જો કોઇ અયોધ્યામાં 5 એકર જમીન પર બની રહેલી મસ્જિદમાં નમાઝ પઢે છે તો તે હરામ માનવામાં આવશે. આવી મસ્જિદમાં નમાઝ પઢવી અને દાન બન્ને હરામ છે. સાથે ઓવૈસીએ કહ્યું, અયોધ્યાના ધન્નીપુરમાં બનનારી મસ્જિદને ઇસ્લામના સિદ્ધાંતો વિરૂદ્ધ છે.
ઓવૈસીના આ નિવેદન પર મસ્જિદ ટ્રસ્ટના સચિવે પોતાની નારાજગી વ્યક્ત કરતા પોતાના નિવેદનને રાજકીય એજન્ડાથી જોડાયેલ ગણાવ્યું છે. જોકે, અસદુદ્દીન ઓવૈસી 26 જાન્યુઆરીએ કર્ણાટકના બીદરમાં સેવ કોન્સ્ટિટ્યૂશન સેવ ઇન્ડિયા કાર્યકર્મને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મંચથી કહ્યું કે, જે બાબરી મસ્જિદના બદલે 5 એકર જમીન પર મસ્જિદ બનાવી રહ્યા છે, હકીકતમાં તે મસ્જિદ નહીં પરંતુ મસ્જિદ-એ-જીરાર છે. એવી મસ્જિદમાં નમાઝ પઢવી હરામ છે.
मुनाफ़िक़ों की जमात जो बाबरी मस्जिद के बदले 5 एकड़ ज़मीन पर मस्जिद बनवा रहे हैं, हकीकत में वो मस्जिद नहीं बल्कि 'मस्जिद-ए-ज़ीरार' है। मुहम्मदुर रसूलुल्लाह (PBUH) के ज़माने में मुनाफ़िक़ों ने मुसलमानों की मदद करने के नाम पर एक मस्जिद बनवाई थी,... [1/2] https://t.co/KqKVJg1lpL
AIMIM ચીફે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આ લોકો મોદી ભક્તિમાં લીન છે. સાવરકર અને ગોડસે ગાંધીથી ડરતા હતા. આંબેડકરના બંધારણે આપણને તાકાત આપી છે. દિલ્હીમાં બેસનારા કોઇ બાદશાહ નથી. ઓવૈસીએ નેતાજીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમણે જય હિંદનો નારો ઘડ્યો તે મુસલમાન હતો.
તમને જણાવી દઇએ કે, નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ મંદિરના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. સાથે જ કોર્ટે સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ માટે અયોધ્યામાં બીજી જગ્યા પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો. ત્યારબાદ વક્ફ બોર્ડે અયોધ્યાના ધન્નીપુર ગામમા ં જમીન આપી હતી, જ્યાં મસ્જિદનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને અસદુદ્દીન ઓવૈસીએ નિવેદન આપ્યું છે.