એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં AIMIM પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ કટાક્ષ કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી 2 મે એ લોકડાઉનની જાહેરાત કરશે.
એક ખાનગી ચેનલ સાથે ઓવૈસીએ કરી વાતચીત
પ્રધાનમંત્રી મોદી પર કર્યો કટાક્ષ
પ્રધાનમંત્રી મોદી 2 મે એ લોકડાઉનની જાહેરાત કરશે
ઓવૈસીએ કટાક્ષ કરતા જણાવ્યું કે 2 મેએ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાના છે તેથી પ્રધાનમંત્રી મોદી આ તારીખે લોકડાઉનની જાહેરાત કરશે. તેમણે કહ્યું કે અમે બંગાળમાં ફક્ત 6 બેઠક પર ચૂટંણી લડી રહ્યાં છીએ. આ અમારી શરુરઆત છે અને અમને વિશ્વાસ છે કે અમારી પાર્ટી બંગાળમાં વિજય મેળવશે.
મને હિંદુ સાથે તસવીર પડાવવામાં કોઈ વાંધો નથી
પીએમ મોદીની મુસ્લિમ યુવક સાથેની વાયરલ તસવીર પર ઓવૈસીએ જણાવ્યું કે મારા કહ્યાં બાદ મુસ્લિમ યુવક ઝુલ્ફિકાર સામે આવ્યો હતો. જ્યારે હું બોલ્યો ત્યારે અમિત શાહે મને હિંદુની સાથે તસવીર પડાવવાનું કહ્યું. મને કોઈ વાંધો નથી.
ભાજપનો કોઈ મુસ્લિમ સાંસદ કેમ નથી
પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભાજપનો કોઈ મુસ્લિમ એમપી કેમ નથી. ગુજરાતમાં છેલ્લી વખતે મુસ્લિમ એમપીની ક્યારે જીત થઈ હતી. અમે ગુજરાતમાં ગોધરામાં ભાજપનો મેયર ન નવા દીધા. તેમણે કહ્યું કે જો દેશના બંધારણને મજબૂત કરવાનું હોય તો હું આવો જ રહીશ. હું ક્યારેક પણ નહીં બદલાવું. એક સમય એવો આવશે કે જ્યારે આપણે બધા એક થઈ જઈશું પરંતુ હુંનહીં બદલાવું.