સિંદુર અને કપાળ પર ચાંદલો મહિલાઓનું સૌથી મોંઘેરું આભૂષણ છે. જે તેને શણગારે છે. જે તેના સુહાગનું રક્ષણ કરે છે. જે તેની આસપાસના દુષણને તેનાથી દૂર રાખે છે. આવી માન્યતા છે. જેનો શાસ્ત્રોમાં તો ઉલ્લેખ છે જ. પરંતુ વૈજ્ઞાનિકો પણ તેના મહત્વ અને લાભને માને છે.
સિંદુર અને ચાંદલા નોતરે છે ગંભીર બિમારી
પરંતુ શું તમે એ વાત જાણો છો કે, નવા જમાના સાથે બદલાતા સિંદુર અને ચાંદલામાં એવા ઘાતક તત્વો છે. જે ગંભીર બિમારીઓ નોતરી શકે છે. નહીં જ જાણતા હોય. તમે જે કંકુ અને સિંદૂરનો ઉપયોગ કરો છો તેમાં રહેલા કેમિકલ વિશે જાણીને સ્તબધ્ત રહી જશો.
સિંદુરમાં હોય છે ઘાતક તત્વો
ઉલ્લેખનીય છે કે, ચાંદલા અને સેંથા માટે વપરાતા સિંદુરમાં ઘાતક તત્વો રહેલા છે. જેની તપાસ AIIMS દ્વારા કરવામાં આવનાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને સ્કીન સ્પેશિયાલિસ્ટ સાથેની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. સિંદૂર અને ચાંદલાના ઘાતક રસાયણો ચામડીને ગંભીર નુકસાન કરતા હોવાનો મત છે.
ત્યારે તપાસ પછી સિંદૂર અને ચાંદલાને બનાવવા મામલે આકરા નિયમો આવી શકે છે.. હાલ સિંદૂર અને ચાંદલા ગૃહઉદ્યોગમાં બની રહ્યાં છે અને તેના માટે કોઈ નિયમો નથી. સિંદૂર અને ચાંદલામાં AG ડાઈ નામનો ઘાતક પદાર્થ ઉમેરવામાં આવે છે. AIIMSનું માનવું છે કે સિંદૂર-ચાંદલાને કારણે કેટલા કિસ્સામાં ઓપરેશન કરવા પડે છે.
શું છે AG ડાઇ ?
AG ડાઈ એક એવું રસાયણ છે જે ચામડીને બાળી નાખે છે અને એલર્જીને નોતરે છે. ત્યારે આવા નુકશાન કરતા કેમિકલોથી બચવા માટે AIIMS દ્વારા વારંવાર તપાસ કરવામાં આવે છે.. હાલમાં જ તબીબોએ હર્બલ ઉત્પાદન, મહેંદીમાં તપાસ માટે રાજ્યોમાંથી 55 સેંપલ એકત્રિત કર્યા છે.
IIT રુડકી અને ઋષિકેશની AIIMS ની મદદ લેવાઇ
દિલ્હી AIIMSએ સેંપલોની તપાસમાં IIT રુડકી અને ઋષિકેશની AIIMSની મદદ લીધી છે. ત્યારે ઓક્ટોબર મહિનામાં AIIMS હર્બલ ઉત્પાદનો વિશે પણ મોટો ખુલાસો કરી શકે છે. આપને જણાવી દઈએ કે જુદા જુદા કોસ્મેટિક્સમાં વપરાતા કેમિકલો હાનિકારક સાબિત થઈ શકે છે. હેર ડાઈ અને મહેંદીમાં પણ PPD નામના ઘાતક રસાયણનો ઉપયોગ થાય છે જે પણ નુકસાન પહોંચાડે છે.