દિલ્હી એઇમ્સના એક સ્ટડીમાં સામે આવ્યું છે કે, એપ્રિલ-મે 2021ના મહિનામાં વેક્સિન લગાવ્યા બાદ કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિનું મોત થયું નથી.
AIIMSના સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો
રસીનો બીજો ડોઝ લેનાર વ્યક્તિને કોરોના થાય છે પણ નથી થતા મોત
વિવિધ દર્દીઓ પર કરાયું સંશોધન
સ્ટડીના આધાર પર કહેવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યક્તિ રસી લીધા બાદ સંક્રમિત થાય છે તો તેને સફળ સંક્રમણમાં માનવામાં આવે છે.
રસી લેનાર વ્યક્તિના નથી થયાં મોત
ઈન્ડિયા ટૂડેના સમાચાર પ્રમાણે, અભ્યાસમાં કહેવામાં આવ્યું કે, અધિક સંક્રમણના ફેલાા છતાં રસી લેનાર વ્યક્તિમાંથી કોઈપણનું બીમારીથી મૃત્યુ થયું નથી. 63 ટકા સફળ સંક્રમણમમાંથી 36 દર્દીઓને બંન્ને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 27 લોકોને વેક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો હતો. 10 દર્દીઓને કોવિશીલ્ડનો ડોઝ લીધો જ્યારે 53 લોકોને કોવેક્સિન આપવામાં આવી હતી.
એઇમ્સના રિપોર્ટમાં ખુલાસો
એઈમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે દર્દીઓમાં એન્ટીબોડી ઉપલબ્ધ હતી, છતાં સંક્રમિત થયાં હોય અને અન્ય દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયાં. તો અમેરિકન આરોગ્ય એજન્સી સીડીસીનું કહેવું છે કે, રસીકરણ બાદ કેટલાક લોકો જ કોરોના સંક્રમિત થયાં છે. હોસ્પિટલમાં દાખલ થાય તો તેમનું મૃત્યુ થઈ જાય છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં શુક્રવારે 24 કલાકમાં કોરોનાના 1,32,364 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આ રોગચાળાને કારણે 2713 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 1 જૂનના રોજ ભારતમાં 1,27,510 કેસ નોંધાયા, જે 8 એપ્રિલ પછીનો સૌથી નીચો છે. 8 એપ્રિલના રોજ, ભારતમાં 1,31,968 કેસ નોંધાયા હતા, જ્યારે 7 એપ્રિલના રોજ દેશમાં 1,26,789 નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોવિડ -19 કેસની કુલ સંખ્યા હવે 2 કરોડ 85 લાખ 74 હજાર 350 છે, જેમાં અત્યાર સુધીમાં 16,35,993 સક્રિય કેસ છે અને 3 લાખ 40 હજાર 702 લોકો મૃત્યુ પામ્યા છે.