દિલ્હીની એમ્સમાં કેટલાક વિદ્યાર્થીઓએ ભજવેલી રામલીલા મોટા વિવાદમાં ઘેરાઈ છે. રામલીલા ભજવતી વખતે વિદ્યાર્થીઓ ગંદી કોમેન્ટ કરી હોવાનો આરોપ છે.
દિલ્હીની એમ્સમાં ભજવાયેલી રામલીલા વિવાદમાં
વિદ્યાર્થીઓએ મંચ પર કરી અશ્લીલ કોમેન્ટ
રામલીલાના પાત્રનું કર્યું અપમાન
વીડિયો વાયરલ થતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને
આરોપ છે કે એમ્સમાં કેટલાક વિદ્યાર્થીઓએ રામલીલાનું આયોજન કર્યું. રામલીલા ભજવી રહેલા વિદ્યાર્થીઓએ કથિત રીતે અભદ્રતા અને રામાયણના પાત્રોની મજાક ઉડાવીને મોટી બબાલ ઊભી કરી. વિદ્યાર્થીઓએ રામલીલાના મંચન દરમિયાન ગંદી કોમેન્ટ કરી હોવાનો પણ આરોપ છે. વિદ્યાર્થીઓએ ગંદી કોમેન્ટ કરીને દર્શકોનું છીછરું મનોરંજન કર્યું હતું. રામલીલામાં વિદ્યાર્થીઓએ જે ભાષા વાપરી હતી તે પણ વાંધાજનક હતી. સરવાળે વિદ્યાર્થીઓએ રામલીલા નહીં પણ કામલીલા ભજવી હોય તેવું લાગતું હતું. વિદ્યાર્થીઓએ આવું કરીને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે.
Ramayana mocked & insulted by the youth at Delhi AIIMS during #Ramleela. Reportedly the show was Hosted by a 1st-year MBBS student Soyeb Aftab. Education app @unacademy is blatantly supporting all the disrespect and mockery of Sanatan dharma by showing the videos on its platform. pic.twitter.com/EWwebRTPVN
રામલીલાની વીડિયો ક્લિપ્સ વાયરલ થતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને
રામલીલા નાટક દરમિયાન રામ-લક્ષ્મણ અને શુર્પણખા દર્શાવતી આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારબાદ #ArrestAIIMSCulprits અને #AntiHinduUnacademy જેવા હેશટેગ આખો દિવસ ટ્વિટર પર ટ્રેન્ડ કરતા રહ્યા. વીડિયો ક્લિપ્સ વાયરલ થયા બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર ઝાટકણી કાઢીને વિદ્યાર્થીઓની સામે કાર્યવાહી તથા તેમની ધરપકડ કરવાની પણ માગણી કરી. યૂઝર નૈની સુબાએ ટ્વિટર પર લખ્યું હતું કે, "શું તમે નિર્લજ્જ જીવો હંમેશાં આપણા હિન્દુ ધર્મ અને હિન્દુ દેવતાઓને નિશાન બનાવે છે અને મજાક ઉડાવો છો? તમે બીજા કોઈ ધર્મ સાથે કેમ નથી કરતા? શું તે એટલા માટે છે કારણ કે તમને લાગે છે કે હિન્દુઓને નિશાન બનાવવું સરળ છે? હવે નહિ! હવે બંધ કર!
Video clip of a Ramleela skit by some students of AIIMS has been circulating on social media.On behalf of the students,we apologise for conduct of this skit which wasn't meant to hurt anyone’s sentiments.We'll ensure that no such activity takes place in future: AIIMS Student Assn
એઈમ્સ સ્ટુડન્ટ એસોસિએશને રવિવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વતી અમે નાટકના વર્તન માટે માફી માંગીએ છીએ, જેનો હેતુ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. અમે ખાતરી કરીશું કે ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃત્તિ ન થાય. શોએબ આફતાબ દ્વારા ભજવવામાં આવ્યું હતું, જે એક વિદ્યાર્થી હતો જેણે જાણી જોઈને હિન્દુ ધર્મના વિશ્વાસનું અપમાન કર્યું હતું.