યુવાઓમાં વધતા કોરોના વાયરસની વચ્ચે AIIMSની નવા દિશા નિર્દેશમાં ગંભીર અને હળવા લક્ષણો હોય તો ઉપાયોને લઈને ખાસ જાણકારી અપાઈ છે.
કોરોનાનું સંકટ દેશમાં વધ્યું
AIIMSની આવી ગઈ નવી ગાઈડલાઈન
જાણો કઈ સ્થિતિમાં કેવી રીતે કરાશે સારવાર
કોરોના સંકટની વધતી સમસ્યાને લઈને દિલ્હીની એમ્સ દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. યુવાઓમાં વધતા કેસની વચ્ચે એમ્સના નવા નિર્દેશ જાહેર કરાયા છે. તેમાં હળવા અને ગંભીર લક્ષણો હોય તો ઉપાયની જાણકારી અપાઈ છે.
શું કહે છે એમ્સની નવી ગાઈડલાઈન
હળવા લક્ષણો વાળા દર્દી
એમ્સની નવી ગાઈડલાઈનમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળે છે તો તે ઘરમાં જ આઈસોલેટ રહેવાની કોશિશ કરે તે યોગ્ય છે. આ સમયે લોકો સાથે દૂરી રાખવી, માસ્ક અને સેનેટાઈઝરની સફાઈનું પણ ધ્યાન રાખો. તમે ડોક્ટરના પણ સંપર્કમાં રહો. જો શ્વાસ લેવામાં તકલીફ છે તો તરત મદદ લો.
વધારે લક્ષણો દેખાય તો
જો કોઈ વ્યક્તિને મુશ્કેલી વધે છે અને શ્વાસ લેવામાં તકલીફ આવી રહી છે તો તેને વોર્ડમાં એડમિટ થવું. વધારે મુશ્કેલી હોય તો ઓક્સીજન સપોર્ટ જરૂર બની છે. જો સ્થિતિ ગંભીર હોય તો ડોક્ટર દ્વારા સતત તેના શ્વાસ પર નજર રહે, ચેસ્ટનો ટેસ્ટ જરૂરી છે.
સ્થિતિ કાબૂ બહાર બને તો
જો કોઈની સ્થિતિ વધારે બગડી રહી છે તો તેને આઈસીયૂમાં દાખલ કરો. દર્દીને ઓક્સીજનની જરૂરિયાતને પૂરી કરી શકાય અને તેની સારવાર તે રીતે કરાય, દર્દીના લોહીની સાથે જોડાયેલી કોઈ સમસ્યા ન હોય, ન તો તેની પર તિંચા વધે. સ્થિતિ બગડે તો ચેસ્ટનો ટેસ્ટ અચૂક કરાવો.
આ સામાન્ય ગાઈડલાઈન્સ સિવાય એમ્સ દિલ્હીએ ગુરુવાકે એક વધારે આદેશ આપ્યો છે. જેમાં રિસોર્સની અછત હોવાના કારણે ફક્ત એ હેલ્થ વર્ક્સનો ટોસ્ટ કરાશે જેમનામાં કોરોનાના લક્ષણો છે. જો કોઈ કોરોના પોઝિટિવ આવે છે તો તેને આઈસોલેટ કરાશે અને તે પ્રમાણે સારવાર કરાશે.