બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે. હવે સીબીઆઈ ટીમની મદદ All India Institute of Medical Sciences (AIIMS)ની દિલ્હીની એક ફોરેન્સિક ટીમ કરશે. આ ટીમ સુશાંત સિંહ રાજપુતના શરીર પર મળેલા નિશાન પર સ્ટડી કરશે. એમ્સની ફોરેન્સિંક ટીમ એ વાતનું અધ્યયન કરશે કે સુશાંત સિંહની આત્મહત્યા હતી કે હત્યા થઈ હતી.
હવે સીબીઆઈ ટીમની મદદAIIMSની દિલ્હીની એક ફોરેન્સિક ટીમ કરશે
જેનાથી ખબર પડશે કે આ હત્યા છે કે આત્મહત્યા
આ તમામ એંગલની તપાસ ડૉ. સુધીર ગુપ્તાની ટીમ કરશે
સીબીઆઈએ એમ્સ પાસે આ મામલામાં તેમની મેડિકો લિગલની સલાહ માંગી છે. સુપ્રીમ કોર્ટ તરફથી બિહાર સરકારની અરજી પર આ મામલાની તપાસને સીબીઆઈને સોંપવામાં આવી છે. એમ્સના ફોરેન્સિંક વિભાગના અધ્યક્ષ ડૉ. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે સીબીઆઈ તેમને કેસના મામલામાં જોડાયેલ માહિતી ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે સુશાંત પર રહેલા નિશાનો અને તેના બોર્ડી પરિક્ષણ સમયે સંરક્ષિત અન્ય ટ્રેસ સબૂતોની પણ તપાસ કરશે. જેનાથી ખબર પડશે કે આ હત્યા છે કે આત્મહત્યા.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસની તપાસથી માંડી તેના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ પોસ્ટ મોર્ટમ ઉતાવળમાં રાતે કેમ કરવામાં આવ્યુ. તેના શરીર પર રહેલા ઘાવના નિશાનનો ઉલ્લેખ કેમ નથી. તેના મોતનો સમય કેમ નથી નાંખવામાં આવ્યો. તેણે મોત પહેલા જ્યૂસ પીધો હતો તો એનો ઉલ્લેખ કેમ નથી કરવામાં આવ્યો. આ તમામ સવાલોની તપાસ સુધીર ગુપ્તાની ટીમ કરશે.
ગુપ્તાએ કહ્યું કે સીબીઆઈ સુશાંતના કેસની રિપોર્ટ ભેગી કરી રહી છે અને અમેને જલ્દી મોકલશે. અમે પરિસ્થિતિ, ઘાવના નિશાન અને પુરાવાના આધારે તપાસ કરીશું. ગુપ્તની અધ્યક્ષતામાં ફોરેન્સિકની એક વિશેષજ્ઞોનું એક મેડિકલ બોર્ડ સંગઠિત કરવામાં આવ્યું છે.