એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જો આપણે આખા દેશની પરિસ્થિતિ પર નજર કરીએ તો કેટલાક એવા શહેરો છે જ્યાં કોરોનાના કેસો વધી રહ્યા છે. દેશના 70 થી 80 ટકા કેસો આ શહેરોમાંથી આવતા હોય છે. દિલ્હી, મુંબઇ, ઇન્દોર અને અમદાવાદમાં વધુ કેસ છે. પરંતુ દેશના બાકીના ભાગોમાં કેસ વધારે નથી.
દેશમાં કોઈ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથીઃ ડૉ. રણદીપ ગુલેરિયા
મુંબઈ અને દિલ્હીમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનનો ભય પણ વધ્યો
દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. મોટાભાગના કેસ મુંબઈ અને દિલ્હીથી આવી રહ્યા છે. બંને શહેરોમાં વધતા જતા કેસો વચ્ચે કમ્યુનિટી ટ્રાન્સમિશનનો ભય પણ વધ્યો છે. આ દરમિયાન, એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે દિલ્હી અને મુંબઇમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થવાની સંભાવના છે. આથી જ આ શહેરોમાં કોરોના કેસ વધી રહ્યા છે.
ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જો આપણે આખા દેશની પરિસ્થિતિ જોઈએ તો કેટલાક એવા શહેરો છે જ્યાં કોરોના કેસ વધી રહ્યા છે. દેશના 70 થી 80 ટકા કેસો આ શહેરોમાંથી આવતા હોય છે. દિલ્હી, મુંબઇ, ઇન્દોર અને અમદાવાદમાં વધુ કેસ છે.
કમ્યુનિટી ટ્રાન્સમિશન અંગે તેમણે કહ્યું કે દેશના મોટા ભાગના ભાગોમાં કેસો બહુ વધી રહ્યા નથી અને અમુક અંશે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોઈ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી. પરંતુ દિલ્હી અને મુંબઇમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થવાની સંભાવના છે. આથી જ આ શહેરોમાં કોરોના કેસ વધી રહ્યા છે.
'કોમ્યુનિટી ટ્રાન્સમિશનને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે'
એઇમ્સના ડિરેક્ટરએ કહ્યું કે, જો દિલ્હી અને મુંબઇમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન હોય, તો આપણે તેને કેવી રીતે અટકાવવું તેના પર ધ્યાન આપવું પડશે. મોટાભાગના એવા કિસ્સાઓ છે જે માઈલ્ડ હોય છે અથવા તેમાં કોઈ લક્ષણો નથી. જ્યારે લોકો બહાર જતા હોય છે ત્યારે તેમણે સમજવું પડશે કે જેની સામે અથવા તેઓ જેમની પણ સાથે છે તે કોરોના પોઝિટિવ છે અને તે રોગને ફેલાવી શકે છે. જે વિસ્તારોમાં કેસો વધી રહ્યા છે તેવા લોકોએ ખૂબ કાળજી લેવાની જરૂર છે.
ક્યારે હશે પીક પર?
ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે હાલમાં જૂનમાં કેસો વધી રહ્યા છે અને લોકડાઉન ખૂલી રહ્યું છે, આવા સંજોગોમાં જો તમે સાવચેતી નહીં રાખો તો કેસ વધશે. તે પીક પર ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે. પીક વિવિધ વિસ્તારોમાં જુદા જુદા સમયે આવશે. કેમકે મુંબઇમાં આ કેસ વધી રહ્યા છે અને જલ્દીથી પીક પર આવી શકે છે. દિલ્હીમાં તેના પછી આવી શકે. એવા શહેરોમાં જ્યાં વધારે કિસ્સાઓ નથી, ત્યાં નાના-નાના પીક આવી શકે છે.
કોરોના ક્યારે સમાપ્ત થશે?
તેમણે કહ્યું કે આપણે સમજવું પડશે કે કોરોના કેસ ધીરે ધીરે ઘટશે. કેટલાક વિસ્તારો ટૂંક સમયમાં સમાપ્ત થશે, કેટલાક વિસ્તારોમાં સમય લાગશે. એવું નથી કે કોરોના ખતમ થઈ જશે. તે ઘણાં મહિનાઓ સુધી રહેશે. આવતા વર્ષ સુધી રહી શકે છે. પરંતુ કેસ ઓછા થશે. બે-ત્રણ મહિનામાં, દિલ્હી અને મુંબઇમાં કેસ ઘટવાનું શરૂ થઈ શકે છે. શિયાળામાં શું કેસોમાં વધારો થશે તે અંગે તેમણે કહ્યું કે હાલ આ ચર્ચાનો વિષય છે. એવું કહેવું મુશ્કેલ છે કે શિયાળામાં કેસ વધશે કે નહીં પરંતુ તે શક્ય છે.
ટેસ્ટિંગ પર શું કહ્યું?
કોઈ લક્ષણો ન હોય તેવા લોકો માટે પણ ટેસ્ટિંગ જરૂરી છે? આ સવાલ પર ડૉ.રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે લક્ષણો વિનાના લોકોનું ટેસ્ટિંગ કરવાનો કોઈ ફાયદો થશે નહીં. પરંતુ માનો કે કોઈ વ્યક્તિ પોઝિટિવ છે અને તેની નજીકના લોકો લક્ષણો વિનાના છે, તો પછી તેનું પરીક્ષણ કરવું જ જોઇએ. પરંતુ જો ઘરમાં કોઈ પોઝિટિવ નથી તો આવામાં ટેસ્ટ કરવાનો કોઈ ફાયદો નથી.
તેમણે કહ્યું કે લોકોએ ઓફિસમાં માસ્ક લગાવીને રહેવું જોઈએ. સાથે મળીને જમવાનું ટાળો. થોડા મહિના માટે એકલા જ ખોરાક લેવો. તમારા હાથ ધોતા રહો. લોકોને નવી રીતે જીવવું પડશે.