સુશાંત સિંહ રાજપૂત કેસમાં રવિવારે એટલે કે 20 સપ્ટેમ્બરે મોટો ખુલાસો થઈ શકે છે એમ્સના એક્સપર્ટ એ વાતનો નિર્ણય કરશે કે 14 જૂને સુશાંતની હત્યા થઈ હતી કે પછી તેણે આત્મહત્યા કરી હતી. આ વાતનો નિર્ણય સુશાંતની ઓટોપ્સી રિપોર્ટ અને વિસેરા રિપોર્ટના માધ્યમથી થશે.
ડૉ. સુધીર ગુપ્તાના નેતૃત્વમાં એક પેનલ રવિવારે મહત્વની બેઠક કરશે
સુશાંત સિંહ રાજપૂતની ઓટોપ્સી રિપોર્ટ અને વિસેરા રિપોર્ટ પર ચર્ચા થશે
આ બાબત નક્કી કરશે કે સુશાંતની હત્યા થઈ હતી કે પછી તેણે આત્મહત્યા કરી
એમ્સના ફોરેન્સિક એક્સપર્ટ ડૉ. સુધીર ગુપ્તાના નેતૃત્વમાં એક પેનલ રવિવારે મહત્વની બેઠક કરશે. જેમાં સુશાંત સિંહ રાજપૂતની ઓટોપ્સી રિપોર્ટ અને વિસેરા રિપોર્ટ પર ચર્ચા થશે. આ બાદ આ પેનલ સુશાંતના મોત પર છેલ્લી સલાહ આપશે.
આ કેસમાં એમ્સના ડોક્ટર્સ દ્વારા ફરીથી વિસેરાની તપાસ કરાઈ હતી. આ પહેલા મુંબઈના કપૂર હોસ્પિટલે વિસેરા કર્યો હતા. પરંતુ સીબીઆઈની તપાસ બાદ તેને ફરી કરવાનું કહેવામાં આવ્યું. ડૉક્ટર એ વાત પર સૂચન આપશે કે સુશાંતને મોત પહેલા ઝેર આપવામાં આવ્યું હતુ કે નહીં. ઉલ્લેખનીય છે કે સુશાંતના 20 ટકા વિસેરા સલામત રાખવામાં આવ્યા હતા. તેના આધાર પણ આ રિપોર્ટ આવશે.
મીડિયા રિપોર્ટ મુજબ આ કેસમાં આગળની રણનીતિ નક્કી કરવા નૂપુર પ્રસાદ, અનિલ યાદવ અને અન્ય વરિષ્ઠ અધિકારીની વચ્ચે બેઠક કરવામાં આવશે. નૂપુર પ્રસાદ અને અનિલ યાદવ પોતાના વરિષ્ઠ અધિકારીઓને આ મામલે સાક્ષી અને 22 ઓગસ્ટ સુધી દાખલ કરવામાં આવેલા નિવેદનો વિશે જાણકારી આપશે.