સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક નવો વળાંક આવ્યો છે, તે પણ ત્યારે જ્યારે એમ્સના ડૉક્ટર્સ કહી રહ્યાં છે કે સુશાંતની હત્યા નહી પરંતુ આત્મહત્યા જ છે.
સુશાંતની મોત આત્મહત્યા નહી હત્યા
એમ્સના ડૉક્ટરની ઑડિયો ક્લિપ વાયરલ
સુશાંતના પરિવારની માગ કે બીજા ડૉક્ટર તપાસે
એમ્સના ડૉક્ટર સુધીર ગુપ્તાની એક ઑડિયો ક્લિપ વાયરલ થઇ છે જેમાં તે કહી રહ્યાં છે કે સુશાંતની હત્યા થઇ છે. આ ઑડિયો ક્લિપ ત્યારની છે જ્યારે સુશાંતની તસવીર જોઇ હતી બાદમાં તપાસ કરી હતી અને આત્મહત્યા માનવામાં આવી હતી.
આવી પરિસ્થિતિમાં આ કેસ વધુ ને વધુ ગુંચવાતો જાય છે. સુધીર ગુપ્તાએ કહ્યું કે તે સમયે તપાસ માટે ગયા પણ ન હતા. તો બીજી તરફ પૈનલની રિપોર્ટ બાદ સુશાંતનો પરિવાર નાખુશ છે. તેમણે સીબીઆઇને આગ્રહ કર્યો છે કે નવી ડૉક્ટર્સની પેનલને સુશાંતની ફોરેન્સિક રિપોર્ટ સોંપવામાં આવે. હવે સીબીઆઇ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યું.
તાપાસ ચાલુ છે
સીબીઆઇએ સંપૂર્ણ કેસ પર કોઇ નિવેદન નથી આવ્યું પરંતુ તપાસ પૂર્ણ પણ નથી થઇ અને બંધ પણ નથી થઇ. સીબીઆઇની ટીમ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે પરંતુ કોઇ કોર્નર પકડાતો નથી. સુશાંતને કોણે આત્મહત્યા માટે ઉશ્કેર્યો તે એન્ગલથી પણ તપાસ કરવામાં આવશે.
સુશાંતના પરિવારે કરી માગ
સૂત્રો અનુસાર સુશાંતના પરિવારનું કહેવું છે કે તેમને એમ્સના રિપોર્ટ પર ભરોસો નથી. નવા ડૉક્ટર્સ ફરીથી તેની તપાસ કરે, તો બીજી તરફ મુંબઇ પોલિસ કહી રહી છે કે સીબીઆઇ પણ એ જ તપાસ કરી રહી છે જે તપાસ તેઓ કરી રહ્યાં હતા. સીબીઆઇના સૂત્રોનુ કહેવું છે કે સુશાંતના પરિવારના સેન્ટિમેન્ટ પર કોઇ નિર્ણય નહી લેવામાં આવે. જે પ્રકારે એવિડન્સ મળશે તે જ રીતે નિર્ણય આવશે.