કોરોના સંક્રમણના ફેલાવવાની રીતોને લઈને અનેક તથ્યો અને દાવાઓ સામે આવી રહ્યા છે. AIIMSના એક ડોક્ટરનું કહેવું છે કે સાર્વજનિક સ્થાનો પર કચરો વાળવાથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે. આ માટે આ સ્થાનોએ કચરાની સફાઈ માટે વેક્યૂમ કલીનરનો ઉપયોગ કરવો જોઈએ.
AIIMSના ડોક્ટરે કર્યો દાવો
સાર્વજનિક સ્થળોએ કચરો વાળવાથી ફેલાય છે કોરોના સંક્રમણ
આ સ્થળોએ સફાઈ માટે વેક્યૂમ ક્લીનરનો કરો ઉપયોગ
AIIMSમાં સર્જરી વિભાગના અધ્યક્ષ ડોક્ટર અનુરાગ શ્રીવાસ્તવ કહે છે કે સાવરણીના ઉપયોગ અને ખુલ્લામાં કચરો રાખવાથી પણ કોરોના સંક્રમણ વધે છે. આ વાયરસ કોઈ પણ જગ્યાએ 3થી 5 દિવસ સુધી રહે છે. સંક્રમિત છીંક ખાય કે ખાંસી ખાય તો પણ તેના શરીરથી નીકળતા વિષાણુના કણ આસપાસની જગ્યાએ ફેલાય છે.
કચરો વાળતાં આ રીતે થાય છે નુકસાન
સાર્વજનિક સ્થાનોએ કચરો વાળતી સમયે આ કણ ધૂળ માટીમાં ફેલાય છે. આ સમયે કોઈ વ્યક્તિ અહીંથી પસાર થાય છે તો અહીં વાયરસ શ્વાસની મદદથી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. તેનાથી વાયરસને ફેલાવવામાં મદદ મળે છે. ડોક્ટરે અપીલ કરી છે કે 2 ઓક્ટોબરે સાવરણા કે સાવરણીને બદલે સ્વચ્છતા અભિયાનમાં વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરવામાં આવે.
ખુલ્લામાં ન નાંખો કચરો
ડોક્ટર્સના જણાવ્યા અનુસાર લોકો કોરોના સાથે જોડાયેલા કચરા, માસ્ક, ગ્લવ્ઝ, પીપીઈ કિટને ખુલ્લામાં ન નાંખે. આ કચરો એક બેગમામં બંધ કરીને 3 દિવસ રહેવા દો. આ પછી તેને યોગ્ય સ્થાને નાંખો. આમ કરવાથી કચરો એકત્રિત કરનારાને પણ સંક્રમણ લાગશે નહીં.