દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને જોતાં મોટાભાગના રાજ્યોએ ફરીથી લૉકડાઉનના આદેશ આપ્યા છે. જો કે રાજ્ય સરકારની તરફથી આપવામાં આવેલા લૉકડાઉન પર AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ પોતાની સહમતિ આપી નછી. તેમનું કહેવું છે કે નાના લૉકડાઉનથી કોરોનાને નાથવામાં સફળતા મળશે નહીં. કોરોનાની ચેઈન તોડવા માટે ઓછામાં ઓછા 14 દિવસનું લૉકડાઉન અનિવાર્ય છે.
AIIMS ડાયરેક્ટરે આપી ચેતવણી
કોરોનાને નાથવા 14 દિવસનું લૉકડાઉન અનિવાર્ય
અનેક રાજ્યોમાં લાગૂ કરાયું લૉકડાઉન
ઉલ્લેખનીય છે કે યૂપીમાં 55 કલાક માટેનું લૉકડાઉન લાગૂ કરાયું છે તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે પુનામાં 10 દિવસનું લૉકડાઉન લાગૂ કર્યું છે.
એસીબીઆઇની તરફથી યોજાયેલી એક કોન્ફરન્સમાં વાત કરતાં એઈમ્સ ડાયરેક્ટર ડૉ. ગુલેરિયાએ કહ્યું કે દેશમાં હાલમાં કોરોના સૌથી પીક પર છે અને અન્ય કેટલાક અઠવાડિયામાં અનેક રાજ્યોમાં સુધારો પણ જોવા મળી શકે છે.કેટલીક જગ્યાએ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાના આંકડા ઘટવામાં સમય લાગી શકે છે. ગુલેરિયાના નિવેદનમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા ત્રણ દિવસમાં 1 લાખને પાર કરી ચૂકી છે.
અનલૉકની રાહતનો લોકો ખોટો ફાયદો ઉઠાવે છેઃ ડૉ. ગુલેરિયા
ડૉ. ગુલેરિયાએ કહ્યું કે લોકો અનલૉકની રાહતનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. લોકોએ સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું બંધ કર્યું છે, તંત્રને કોરોના ક્લસ્ટર્સ અને કોરોના કન્ટેનમેન્ટ વિસ્તારમાં નજર રાખવાની રહેશે. તેઓએ કહ્યું કે આખા શહેરમાં લૉકડાઉન કરવાથી કોઈ ફાયદો થશે નહીં. સરકારે કન્ટેનમેન્ટ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં લૉકડાઉનને કડક રીતે લાગૂ કરવું જોઈએ.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં આવ્યા 7862 નવા કેસ
દેશમાં કોરોના વાયરસનું હબ બની રહેલા મહારાષ્ટ્રમાં શુક્રવારે સંક્રમણના કારણે 226 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાના કારણે આ સૌથી વધારે મોત હતા. શુક્રવારે અહીં 7862 નવા કેસ આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,38,461 થઈ છે. જેમાં 1,32, 625 લોકો સાજા થયા છે અને 9893 લોકોના મોત નીપજ્યા છે.