AIIMS ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યં કે આ વાયરસ ચાલાક છે અને સતત રૂપ બદલી રહ્યો છે. આ સમયે કહી શકાશે નહીં કે નવા વેરિઅન્ટના વિરોધમાં વેક્સીન કેટલી અસરકારક સાબિત થશે.
કોરોના વાયરસ સતત બદલી રહ્યો છે રૂપ
AIIMSના ડાયરેક્ટરે લોકોને આપી ખાસ સલાહ
નવા વેરિઅન્ટના વિરોધમાં વેક્સીન કેટલી અસરકારક સાબિત થશે તેની માહિતી નથી
અમેરિકાએ શુક્રવારે કહ્યું કે કોરોના વેક્સીનના 2 ડોઝ લીધેલા લોકો માટે માસ્ક જરૂરી નથી. ભારતમાં સ્થિતિના આધારે ડો. રણદીપ ગુલેરિયાએ ભારતમાં 2 વેક્સીન લીધા બાદ પણ લોકોને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા કહ્યું છે. તેઓએ કહ્યું કોરોનાનું નવું રૂપ બદલાઈ રહ્યું છે અને સાથે નવા વેરિઅન્ટથી વેક્સીનના 2 ડોઝ લીધા બાદ પણ સંક્રમિત થવાનો ખતરો વધારે રહે છે. સીડીસીએ કહ્યું છે કે પૂરી રીતે વેક્સીનેટ થઈ ચૂકેલા લોકોને માટે માસ્ક પહેરવાનું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાનું જરૂરી નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને પણ કહ્યું કે તમે વેક્સીનેટ થઈ ચૂક્યા છો તો હવે તમારે માસ્ક પહેરવાની જરૂર નથી.
ભારતમાં માસ્ક જરૂરી છે
ભારતના એક્સપર્ટ અને ડોક્ટર્સનું કહેવું છે કે અહીં માસ્ક વિના બહાર નીકળવાનો નિર્ણય હાલમાં લેવાઈ શકે તેમ નથી. એક્સપર્ટના આધારે લોકોએ તેને માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે તે જ્યાં સુધી ભારતમાં કોરોના સંક્રમણને લઈને વધારે ડેટા મળ્યો નથી. આ માટે સાવધાન રહેવાની જરૂર છે. આ વાયરસ ચાલાક છે અને પોતાનું રૂપ બદલતો રહે છે. નવા વેરિઅન્ટના વિરોધમાં વેક્સીન કેટલી અસરકારક સાબિત થશે તેની કોઈ માહિતિ નથી. તમે વેક્સીનના 2 ડોઝ બાદ પણ માસ્ક પહેરવું જરૂરી છે. આ સિવાય સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સરકાર હાલમાં કોઈ નવી એડવાઈઝરી જાહેર કરી રહી નથી. લોકોને દરેક સ્થિતિમાં માસ્ક લગાવવાનું જરૂરી રહેશે. ભારતમાં અત્યાર સુધીમાં 18 કરોડ લોકોને વેક્સીન અપાઈ છે જ્યારે 3 કરોડ લોકોએ વેક્સીનના 2 ડોઝ લીધા છે.