કોરોના વાયરસના મામલામાં એક વખત ફરી વધારો જોવા મળી રહ્યો છે. કેટલાંક નિષ્ણાંતો પહેલાં જ કહી ચૂંક્યા છે કે ઠંડીની મોસમમાં કોરોના વાયરસના કેસમાં પહેલા કરતા વધારો જોવા મળી શકે છે. ત્યારે હવે AIIMSના ડાયરેક્ટર ડૉકટર રણદીપ ગુલેરિયાએ હવે એક વધુ ચેતવણી આપી છે. ડૉકટર ગુલેરિયાએ કહ્યું છે કે પ્રદૂષણમાં થોડો ઘણો વધારો થઇ શકે છે.
કોરોનાને લઇ AIIMSના ડો.રણદીપ ગુલેરિયાની ચેતવણી
ઠંડી-પ્રદૂષણ વધતા કોરોના ફેલાવાનો ખતરો વધુ
વધુ પ્રદૂષણવાળા શહેરો પર ખતરો વધવાની શક્યતા
ડૉકટર ગુલેરિયાએ કહ્યું છે કે પ્રદૂષણનો PM 2.5 સ્તરમાં મામૂલી વધારો પણ કોરોના વાયરસના કેસમાં 8થી 9 ટકાનો વધારો કરી શકે છે. કોરોનાની સાથે પ્રદૂષણ વધવાથી ફેંફસા અને શ્વાસ સંબંધી બિમારીઓ પણ વધી શકે છે.
ઇંડિયા ટૂડેને આપેલા એક ઇન્ટરવ્યુંમાં ડૉકટર ગુલેરિયાએ કહ્યું કે ઠંડીના મહિનાઓ દરમિયાન લોકોએ સાવધાની રાખવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે ચીન અને ઇટાલીના ડેટા બતાવે છે કે જે ક્ષેત્રોમાં જ્યાં PM 2.5ના સ્તરમાં થોડી પણ વૃદ્ધિ થઇ,ત્યાં કોરોના કેસમાં ઓછામાં ઓછા 8થી 9 ટકાનો વધારો જોવા મળી શકે છે.
ડૉકટર ગુલેરિયાએ કહ્યું કે વાયુ પ્રદૂષણના કારણે ફેફસામાં સોજો આવી જાય છે અને SARS-COV-2 પણ મુખ્ય રીતે ફેંફસાઓને પ્રભાવ કરે છે જેનાથી સોજો ચડે છે. એવામાં શક્ય છે કે દેશના કેટલાંક વિસ્તારોમાં જ્યાં પ્રદૂષણનું સ્તર વધારે છે, ત્યાં ગંભીર સંક્રમણ ફેલાઇ શકે છે.
AIIMSના ડાયરેકટરે કહ્યું કે ઠંડીની સિઝનમાં આપણને ઘરમાં રહેવાની ટેવ હોય છે. ઘરમાં વધારે લોકોના રહેવાના કારણે સંક્રમણ એકથી બીજામાં સરળતાથી ફેલાઇ શકે છે. ઠંડીમાં શ્વસન વાયરસ પણ સરળથા ફેલાય છે.
તેમણે કહ્યું કે સંક્રમણ પર અમારા સર્વિલાંસ ડેટાથી ખબર પડે છે કે ઇન્ફલુંએજા જેવા બિમારીઓ ભારતમાં બે વખત સામે આવે છે, એક વખત મોનસૂનની સીઝનમાં અને એક વખત ઠંડીમાં. કોરોના વાયરસ પણ શ્વસન વાયરલ સંક્રમણ છે અને લગભગ ઇન્ફલુએંઝાની જેમ જ તે જોવા મળે છે.