AIIMSના ડાયરેકટર ડૉ.રણદીપ ગુલેરિયાએ દાવો કર્યો છે કે કોરોના વાયરસના કેસમાં વધુ વધારો થઈ શકે છે. દેશના ફક્ત 10 થી 12 શહેરોમાં કમ્યુનિટી ટ્રાન્સફરનો ભય છે. તેમણે કહ્યું કે દિલ્હી-મુંબઇના હોટસ્પોટ વિસ્તારોમાં કમ્યુનિટી ટ્રાન્સફરનું જોખમ વધારે છે.
કોરોના અંગે AIIMSએ આપી ચેતવણી
દેશના 12 રાજ્યોમાં કમ્યુનિટી ટ્રાન્સફરનો ખતરો યથાવત
આ રાજ્યોમાં કમ્યુનિટી ટ્રાન્સફરનું જોખમ વધુ
કમ્યુનિટી ટ્રાન્સફર અંગે એઇમ્સના ડાયરેકટર કહ્યું કે દિલ્હી-મુંબઈ હોટસ્પોટ છે, ત્યાં આપણે કહી શકીએ કે સ્થાનિક ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. આ સ્થિતિ આખા દેશમાં જોવા મળી નથી. આવા 10 થી 12 શહેરો એવા છે કે જ્યાં સ્થાનિક ટ્રાન્સમિશન થવાની સંભાવના છે. એમ્સમાં 70 થી 80 કેસ આવી રહ્યા છે. કોરોના વાયરસને કારણે લૉકડાઉનને ધીરે ધીરે અનલૉક કરવામાં આવી રહ્યું છે. લૉકડાઉનથી થોડો ફાયદો થયો છે. કેસ ઓછા થવા લાગ્યા છે. ગરીબોની મદદ માટે લૉકડાઉન ખોલવું પણ અનિવાર્ય હતું. એમ્સના ડોક્ટરે કહ્યું છે કે હવે દરેક વ્યક્તિની જવાબદારી વધી રહી છે. એવામાં માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનો ખતરો વધ્યો છે.
સામાન્ય પેશન્ટ્સ પણ ઘરે સાજા થઈ રહ્યા છે
કોરોનાના દર્દીને માટે બેડ અને વેન્ટિલેટર્સની ખામીના કારણે તેમને કહેવાઈ રહ્યું છે કે તેઓ બેડ અને વેન્ટિલેટર્સની અછતના કારણે પ્લાનિંગમાં ફેરફાર કરાયો છે. જે લોકોમાં સંક્રમણના લક્ષણ છે તેઓએ ઘરે જ રહેવું જોઈએ. તેઓએ એડમિટ થવું નહીં. ડોક્ટરે કહ્યું કે માઈલ્ડ પેશન્ટ પોતે જ સાજા થઈ શકે છે. તેમને ખાસ ટ્રીટમેન્ટની જરૂર રહેતી નથી.