AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કોરોનાના નવા વેરિએન્ટ એવા લોકોને ફરી સંક્રમિત કરી શકે છે જેમને પહેલા કોરોના થયો હતો.
કોરોનાના નવા વેરિએન્ટ એવા લોકોને ફરી સંક્રમિત કરી શકે
રસી જ એક માત્ર હથિયાર છે
હર્ડ ઈમ્યુનિટી સંપૂર્ણ રીતે મેળવવી શક્ય નથી
કોરોનાના નવા વેરિએન્ટ એવા લોકોને ફરી સંક્રમિત કરી શકે
દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટથી કોહરામ મચી ગયો છે. ભારતમાં પણ કોરોનાની વધુ એક લહેર આવી છે. ચિંતાની વાત એ છે કે કોવિડ 19ના નવા સ્ટ્રેનના મામલા પણ દેશના અનેક વિસ્તારોમાં જોવા મળ્યા છે. તેવામાં દેશના સૌથી મોટા હોસ્પિટલ AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાના નવા વેરિએન્ટને લઈન ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે કોરોનાના નવા વેરિએન્ટ એવા લોકોને ફરી સંક્રમિત કરી શકે છે જેમને પહેલા કોરોના થયો હતો.
રસી જ એક માત્ર હથિયાર છે
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ગુલેરિયાએ કહ્યું કે જેને લોકોમાં પહેલાથી કોરોનાની એન્ટીબોર્ડી છે. તેમણે કોરોનાના નવા વેરિએન્ટનું સંકટ છે. તેમણે કહ્યું કે ભારતમાં એકવાર ફરી મોટા પાયા પર કોરોના ટેસ્ટની જરુર છે. આની સંખ્યા સતત વધી રહી છે. રસી જ એક માત્ર હથિયાર છે. જેમાં લોકોને કોરોનાથી બચાવી શકાય છે.
હર્ડ ઈમ્યુનિટી પર શું કહ્યું ગુલેરિયાએ
ડો. ગુલેરિયાએ કહ્યું કે હર્ડ ઈમ્યુનિટીને લીને લોકોએ પોતાની માનસિકતા બદલવી પડશે. ચિંતા કરવા જેવી વાત એ છે કે હર્ડ ઈમ્યુનિટી સંપૂર્ણ રીતે મેળવવી શક્ય નથી. આને ભારત જેવા દેશમાં વિચારવું મુશ્કેલ છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ પ્રત્યે હર્ડ ઈમ્યુનિટી બનાવવાની વાત એક મિથ જેવી લાગે છે. આની પાછળનું કારણ છે કે આ માટે દેશના 80 ટકા વસ્તીમાં કોરોના વાયરસથી લડવા માટે એન્ટીબોર્ડી ડેવલપ થવી જોઈતી હતી.
નવા વેરિએન્ટનું સંકટ
ઉલ્લેખનીય છે કે હેદરાબાદ સ્થિત વૈજ્ઞાનિક અને ઔદ્યગિક અનુસંધાન પરિષદ (CSIR)એ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજી (CCMB)ના વૈજ્ઞાનિકોએ પોતાના એક અધ્યયનમાં કહ્યું છે કે કોરોના વાયરસના નવા વેરિએન્ટ દેશના કેટલાક રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. સીસીએમબીના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે દુનિયાભરમાં મળેલા કોરોના વાયરસે વેરિએન્ટ્સ ભારતમાં ઓછો પ્રભાવ જોવા મળે છે. પરંતુ આની પાછળ એક કારણ એ પણ હોઈ શકે છે કે પર્યાપ્ત સંખ્યામાં વાયરસની સ્ક્રિનિંગ નથી થઈ.